અમદાવાદમાં ગઈકાલે પણ 25 લોકોના કોરોનાથી મોત થયા છે અને નવા 291 કેસ નોંધાયા છે ત્યારે હવે તંત્ર સફાળુ જાગ્યુ છે અને શાકભાજી , કરિયાણા સહિતની તમામ સેવાઓ બંધ કરી દીધી છે. અમદાવાદમાં ખાલી દૂધ અને દવાઓ જ મળશે એ પણ અમુક નિશ્ચિત સમય માટે. જો કે તંત્રના આ નિર્ણયને કારણે લોકડાઉનનું શબ્દસહ: પાલન કરનારા પણ રોડ ઉપર ઉતરી આવ્યા હતા.
આજથી અમદાવાદ બંધ
ગઈ કાલે પણ 25ના મોત નવા 291 કેસ
શું છે મનપાનો પ્લાન?
આજથી અમદાવાદ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. દૂધ-દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. 15 મે સુધી અમદાવાદ સંપૂર્ણ લોકડાઉન આપવામાં આવ્યું છે. રેડ ઝોનમાં તમામ બેંક પણ બંધ રહેશે. ફ્રૂટ્સ, શાકભાજી, કરિયાણાની દુકાનો પણ બંધ રહેશે . શહેરમાં કોરોનાને કાબૂમાં લેવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
મનપાના આ નિર્ણયને કારણે આખુ અમદાવાદ કાલે સાંજે રસ્તા ઉપર ઉતરી આવ્યું હતુ. લોકો શાકભાજી, દૂધ, કરિયાણા માટે રીતસર પડાપડી કરી હતી. આ તમામ અફરા તફરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ કે બીજુ કંઈ જળવાયું ન હતુ.
આંકડાકિય માહિતી
રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંક 6627 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાંથી 1500 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 397 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદમાં 4735 લોકો કોરોનાનો શિકાર બન્યા છે જ્યારે 298 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે.
શું છે અમદાવાદ મનપાની નવી વ્યૂહરચના?
1- વોર્ડ પ્રમાણે કોવિડ-19ની કન્ટેઈન્મેન્ટ સ્ટ્રેટેજી તમામ 48 વોર્ડ માટે નક્કી કરી આવતીકાલે મિટિંગમાં રજૂ કરાશે. આમાં જે-તે વોર્ડની વર્તમાન કોરોનાની સ્થિતિ, ટેસ્ટિંગ સ્ટ્રેટેજી, લોકડાઉન અમલ, આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા, ક્વોરેનટાઈન ફેસીલીટી વગેરેનો સમાવેશ કરાશે.
2- શહેરની 9 ખાનગી હોસ્પિટલ જેમાં કુલ 1000 બેડ હોય તેવી હોસ્પિટલને કોવિડ 19 હોસ્પિટલ જાહેર કરવામાં આવશે. આની જવાબદારી જે-તે DyMCને સોંપાઈ છે.
3- દરેક ઝોનમાં 3-સ્ટાર કેટેગરી અને નીચેની પરંતુ ઓછામાં ઓછા 50 એસી રૂમ ધરાવતી ખાનગી હોટેલ્સની ઓળખ કરીને 500 બેડનું કોવિડ કેર સેન્ટર સ્થપાશે. આની જવાબદારી જે-તે DyMCને સોંપાઈ છે.
4-તમામ ખાનગી ક્લિનિક/નર્સિંગ હોમ/હોસ્પિટલોને 48 કલાકમાં શરૂ કરવા નોટિસ અપાશે. જો તેઓ આમ નહીં કરે તો તેમના લાઈસન્સ રદ કરી દેવાશે. જે ડોક્ટર તેમના ક્લિનિક ખોલતા ન હોય તેમને કોવિડ કેર સેન્ટર અથવા ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓની સેવામાં તૈનાત કરાશે.
5- શાકભાજી, ફળફળાદિ વેચનારા, કરિયાણું, પ્રોવિઝન સ્ટોર, સુપરમાર્કેટ અને આઈસક્રીમ પાર્લર ધરાવતા તેમજ સ્વીગી, ઝોમેટો, ડોમિનોઝ વગેરેના હોમ ડિલિવરી બોય જેવા સુપર સ્પ્રેડર્સ પર 7 મેના રોજ સવારે 6 વાગ્યાથી 7 દિવસ સુધી AMCની હદના વિસ્તારોમાં પ્રતિબંધ. આમાં ફક્ત દૂધ અને દવાની સેવાને છૂટછાટ મળશે.
6- દરેક ઝોનમાં સરેરાશ 2,000 સુપર સ્પ્રેડર નોંધાયા છે. આ તમામનું દરેક ઝોનમાં રોજના 500ના ટાર્ગેટ સાથે સ્ક્રીનિંગ કરાશે. આના આધારે શંકાસ્પદ સુપર સ્પ્રેડર્સનું પણ ટેસ્ટિંગ કરાશે. આગામી બુધવાર એટલે કે 13 મે સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરાશે.
7- વધુ સૂચના જારી ન કરાય ત્યાં સુધી ATM સિવાય તમામ બેંકની બધી શાખાઓ જે રેડ ઝોનમાં આવેલી છે તે બંધ રહેશે.
8- સામાન્ય અને હળવા લક્ષણોવાળા દર્દીઓ માટે તેમના ઘરમાં સરકારી માર્ગદર્શિકા અનુસાર અલગ રૂમ અને શૌચાલયની સુવિધા હશે તો તેમને ત્યાં જ રહેવા દેવાશે. આવા દર્દીઓની હેલ્થ વર્કર દરરોજે મુલાકાત લેશે.