ગુજરાતમાં કોરોના સંકટને કારણે સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે. વધી રહેલા મોતના આંકડા ગુજરાત સરકારની ચિંતા વધારી છે. ગાંધીનગરનું કનેક્શન છેક દિલ્હી પહોંચ્યુ છે ત્યારે કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવાઈ રહ્યા છે કે, ગુજરાત સરકાર કોરોના મહામારીમાં નિષ્ફળ નીવડી છે અને એટલે જ તે કેન્દ્રની મદદ માંગી રહી છે. મેડિકલ હબ ગુજરાતમાં દિલ્હીથી ડોક્ટરો બોલાવવા પડી રહ્યા છે.
કોંગ્રેસે ગુજરાત મોડલેને ગણાવ્યું નિષ્ફળ
દિલ્લીથી નિમણૂક એ ગુજરાતના તબીબોનું અપમાનઃ કોંગ્રેસ
"મેડિકલ ટુરિઝમ હબના શ્રેષ્ઠ તબીબોનો ઉપયોગ નથી થતો"
ગુજરાતમાં દિલ્લીથી 3 કન્સલ્ટન્ટની નિમણૂંકને લઇ રાજનીતિ જામી છે. 3 કન્સલ્ટન્ટની નિમણૂંકને લઈને કોંગ્રેસના રાજ્ય સરકાર પર આક્ષેપ મૂક્યો છે કે, ભાજપ સરકાર ગુજરાતનું અપમાન કરી રહી છે. ગુજરાત મોડેલના ગુણગાન ગાતી સરકાર કેમ બહારથી તબીબો બોલાવી રહી છે.? કોંગી નેતા જયરાજસિંહે ગુજરાત સરકાર પર આક્ષેપ લગાવ્યા છે.
કોંગ્રેસે ગુજરાત મોડેલને ગણાવ્યુ નિષ્ફળ
કોંગ્રેસ આક્ષેપ લગાવ્યો હતો કે દિલ્હીથી નિમણૂંક એ ગુજરાતના તબીબોનું અપમાન છે. મેડિકલ ટુરિઝમ હબના શ્રેષ્ઠ તબીબોને ઉપયોગ નથી થતો. શ્રેષ્ઠ તબીબોનો ઉપયોગ નહીં એ નિષ્ફળતા કોની? ગુજરાત સરકાર અને આરોગ્ય તંત્ર નિષ્ફળ નીવડ્યા છે. રાજ્યના વિશ્વના શ્રેષ્ઠ ડોક્ટરોનો ઉપયોગ સરકાર ન કરી શકી. AMC કમિશનરને સાઇડલાઇન કરવા એ સ્પષ્ટ ગડબડ દર્શાવે છે.
CM રૂપાણીએ અમિત શાહને કરી વિનંતી
ગુજરાતમાં કોરોના વાયરસને લઈને સ્થિતિ વધુ ગંભીર છે. CM રૂપાણીએ કેન્દ્રમાં મીટ માંડી છે. અમિત શાહને વિનંતી કરીને 3 ખ્યાતનામ ડોક્ટરને અમદાવાદ મોકલવા માટેની રજૂઆત કરી છે. ગુજરાતમાં કોરોનાને કાબુ લાવવા માટે CM દ્વારા કેન્દ્રની મદદ માંગવામાં આવી રહી છે.
CM રૂપાણીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઇ શાહને અમદાવાદ મેડીસિટીમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ભારતના ખ્યાતનામ અને શ્રેષ્ઠ ૩ તબીબોને અમદાવાદ મોકલવાનો અનુરોધ કર્યો છે એઇમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયા, નવી દિલ્હીની એપોલો હોસ્પિટલના ડૉ. રાજેશ ચાવલા અને મુંબઇના ખ્યાતનામ પલમેનોલોજિસ્ટ ડૉ. રોહિત પંડિતને એક દિવસ માટે અમદાવાદ મોકલવા વિનંતી કરી છે.