ગુજરાતમાં કોરોના વાયરસને પગલે સરકારની કામગીરીને લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ CM રૂપાણીને પત્ર લખ્યો હતો. અમીત ચાવડાે પણ આ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે ભાજપને ટકોર કરી હતી કે, પાર્ટીફંડનો પૈસો ગરીબો પાછળ વાપરોને!
નાની મહામારીને લઇ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર સામે સવાલ ઉઠાવ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી સવાલ ઉઠાવ્યાં છે અને કહ્યું કે રાજ્ય કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે. જેથી ભાજપે આવા કપરા સમયે પક્ષાપક્ષીથી પર ઉઠી કામ કરવું જોઇએ.
જો ખરેખર સરકાર જરૂરિયાતમંદોની મદદ કરવા માગતુ હોય તો વ્યાજબી ભાવની દુકાન પર કેમ પોતાના કાર્યકરો રાખ્યાં છે. ભાજપ મદદના નામે રાજકીય લાભ ખાટી રહ્યો છે. ભાજપ પાસે અપાર પાર્ટી ફંડ છે તેનો સદ્ ઉપયોગ કરવો જોઇએ.ભાજપ એવું સાબિત કરવા માગે છે કે સહાય ભાજપ કરી રહ્યું છે. સેવાભાવી સંસ્થાઓને વિતરણ પર પ્રતિબંધ લગાવ્યો છેઃ. ભાજપ પાસે અપાર પાર્ટી ફંડ છે તેનો સદ્ ઉપયોગ કરે તો સારૂં.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે રાજ્યમાં હાલની સ્થિતિ મુદ્દે ચર્ચા કરી હતી.
તેમણે કહ્યુ હતુ કે, કોરોના સામેની લડાઇમાં કોંગ્રેસનું સમર્થન સરકારને રહ્યું છે. લોકડાઉન 3 મે સુધી લંબાવવાયું છે. કોંગ્રેસનો સંપૂર્ણ સહયોગ સરકારને મળશે. લોકડાઉનને સફળ બનાવવા સરકાર ખુલીને બહાર આવે. લોકોને મદદરૂપ થઇ શકાય તેવા આર્થિક પેકેજ આપવા પડશે. ખેડૂતો અને ગરીબો હાલમાં મુશ્કેલીમાં છે. ખેડૂતોને વીજળી, ખાતર સહિતની મદદ કરવામાં આવેઉત્પાદનનોને બજાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઇએ. ખેડૂતોને પુરતો ભાવ મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. ધિરાણ પરત કરવાની મુદતમાં વધુ વધારો કરાય. ધિરાણની વ્યાજમાંથી ખેડૂતોને મુક્તિ આપવી જોઇએ. ધિરાણમાં 25 ટકા વધારો કરી ફરીથી નવુ ધિરાણ કરવું જોઈએ.
કોંગ્રેસ લોકોને મદદ કરવા માટે કામ કરી રહી છે
સરકારે સેવાકીય સંસ્થાઓના કામ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અનાજનું વિતરણ ઓછું થયું છે. 60 લાખ એપીએલ ધારકો અનાજથી વંચિત રહ્યા. ગામડાઓમાં રાશનનો જથ્થો નથી પહોંચ્યાની ફરિયાદો મળી રહી છે. રાશનની ખરાબ ગુણવત્તાની ફરિયાદો પણ મળી રહી છે. સડેલા અનાજ ની ફરિયાદો પણ લોકો કરી રહ્યા છે. રાશનકીટની સાથે ખાદ્યતેલ પણ આપવામાં આવે.
અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની સ્થિતિ કફોડી છે. આ લોકો રોજે કમાઇને રોજે ખાનાર શ્રમિકો છે. શ્રમયોગીઓને જૂન મહિના સુધી મહિને 4 હજાર રૂપિયા આપે. મેં મહિના સુધી સરકાર તમામ વિજબીલ માફ કરે. તમામ વેરાઓ સરકાર માફ કરે. નાના ઉદ્યોગોને વર્કિંગ કેપિટલ સરકાર પૂરું પાડે.