ગુજરાતમાં હાલ કોરોનાને લઈને રૂપાણી સરકાર ઘેરાણી છે. વારંવાર કામગીરીમાં મંથર ગતિ દેખાઈ રહી છે. ત્યારે અમદાવાદ મનપા કમિશનર વિજય નેહરાએ સરકારને અવગણીને પણ અમુક જાહેરાતો અને કામ કર્યા હોવાને કારણે તેમને સાઈડલાઈન કરવાાં આવ્યા છે. ગુજરાતમાં રૂપાણી સરકાર સામે વારંવાર પ્રશ્નો ઉઠી રહ્યા છે. ગુજરાતમાં આટલી ખતરનાક સ્થિતિ છતાં કેમ ઢિલિ નીતિ અપનાવાઈ રહી છે તેવા પણ કોંગ્રેસ આક્ષેપ લગાવ્યા હતા.
અમદાવાદ મનપાના કમિશ્નરને લઇ કોંગ્રેસ નેતાના પ્રહાર
વિજય નેહરા હોમ ક્વોરોન્ટાઇન થવા અંગે કોંગ્રેસ નેતાના પ્રશ્નો
કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે ઉઠાવ્યા પ્રશ્નો
ગુજરાતમાં કોરોનાના સંકટને લઈને ગુજરાત સરકાર સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. મેડિકલ હબ હોવાનો દાવો કરતું ગુજરાત કોરોનાના પ્રહારથી ઘુંટણીએ આવી ગયુ છે. એમાંય અમદાવાદમાં કોરોના બેકાબૂ બન્યો છે. કોરોનાના કેસને દબાવવા માટે સરકારે કોનાના ટેસ્ટ ઓછા કરાવી દીધા. એટલું જ નહીં પરંતુ સિટિ વિસ્તારમાં જ ટેસ્ટ કરાયા જ્યારે બોડકદેવ, જુહાપુર, વાડજ જેવા ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં ટેસ્ટ કરવામાં આવે તો દર્દીઓની સંખ્યા એવડી મોટી નીકળે કે તમને માની ન શકો.
સારૂ કામ કરવા બદલે કરાયા સાઈડલાઈન : શૈલેષ પરમાર
અમદાવાદ મનપાના કમિશનર વિજય નેહરા ક્વોરન્ટાઈન થતા કોંગ્રેસના ધારાસભ્યે સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકાર સામે સવાલ ઉઠાવતા કહ્યું છે કે, વિજય નેહરાને કોના ઈશારે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અમદાવાદમાં સૌથી વધારે ટેસ્ટ કરાય તો સરકારને શું વાંધો છે.
અમદાવાદની પ્રજા માટે સારું કામ કરવા બદલ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા. સારું કામ કરનાર અધિકારીને ઘરે બેસાડવાનું કારણ શું છે. દિલ્હીના ઈશારે અમદાવાદના કમિશનરને ક્વોરોન્ટાઈન કરાયા છે. નેહરાએ વધારે ટેસ્ટ કરી સરકારની પોલ ખોલી તેનું આ પરિણામ છે? ગુજરાતની જનતા પૂછી રહી છે રાજ્યમાં આરોગ્યમંત્રી કોણ છે ?
ગુજરાતમાં કેમ ભીનુ સંકેલવાનો પ્રયાસ?
ગુજરાતમાં કોરોનાનો ચેપ જમાતીઓ દ્વારા ફેલાયો હોવાની વાત થઈ રહી છે પરંતુ હાલ ક્વોરન્ટાઈન કરાયેલા વિજય નેહરા વારંવાર રજૂ કરી ચુક્યા છે કે તેઓ જાન્યુઆરીથી સરકારને આ મામલે ચેતવ્યા હતા તેમ છતાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ ફેબ્રુઆરી અંતમાં અમદાવાદમાં યોજવામાં આવ્યો હતો અને લાખોની ભીડ તેમજ વિદેશીઓનો મેળાવળો અહીં જમા થયો હતો એટલે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અમદાવાદની કોરોનાથી થઈ રહેલી તારાજી માટે જવાબદાર છે.
શું કહ્યુ હતુ વિજય નેહરાએ?
વિજય નેહરાએ પહેલાજ કહી દીધુ હતુ કે અમદાવાદમાં 15મી મે સુધીમાં 15000 જેટલા કેસ આવશે અને 31મી મે સુધીમાં 50000 કેસ. પરંતુ સરકારે આ સાંભળીને ટેસ્ટ કરવાનું જ બંધ કરી દીધુ જેથી ટેસ્ટ થાય જ નહીં અને આંકડા બહાર આવે જ નહીં. એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે.
કેન્દ્ર એ ઝંપલાવ્યુ
ગુજરાતમાં બેકાબૂ કોરોનાને છુપાવવા માટે કેન્દ્ર તેમજ સરકારના માનીતા અધિકારીઓની ફોજને ઉતારવામાં આવી છે. પરંતુ આ કોઈ કૌભાંડ નથી આ મહામારી છે. એટલે બની શકે કે સરકારી અધિકારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી જાય. સામે કડવી અને સાચી સલાહ આપનાર અધિકારીઓને સરકાર સાઈડ લાઈન કરી રહી હોવાનો પણ ગણગણાટ છે. હાલ વિજય નેહરા બાદ મુકેશ કુમાર ને અમદાવાદ ની સુકાન સોંપાઈ છે.