કોગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર કોરોના સંકટમાં નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ લગાવ્યા છે એટલું જ નહીં પરંતુ ગુજરા સરકાર દ્વારા સંપૂર્મ બેદરકારી અને નિષ્કાળજી લેવાઈ હોવાના પણ આક્ષેપ કર્યા હતા. બે દિવસ પહેલા હાઈકોર્ટમાં આ અંગે જાહેરહિતની અરજી થઈ હતી. કોરોના દર્દીઓએ સરકારી હોસ્પિટલમાં ભોગવવી પડતી હાલાકીને લઈને જાહેરહિતની અરજી કરવામાં આવી હતી જેમાં હાઈકોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધો હતો.
હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને વેધક સવાલનો મામલો
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર કર્યા પ્રહાર
સરકાર સંપૂર્ણ બેદરકારી અને નિષ્કાળજીથી કામ કરી રહી છે
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. કોરોના સારવાર મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલો કર્યા હતા અને હાઇકોર્ટે સરકારને કેટલાક સૂચનો પણ કર્યા છે. જેને લઇ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે સરકાર બેદરકારી અને નિષ્કાળજીથી કામ કરી રહી છે. સિનિયર અધિકારીઓની ટીમ મુકાયા બાદ પણ સ્થિતિ નથી સુધરી. અને સિવિલમાં વ્યવસ્થાના અભાવે દર્દીના મૃત્યુ થાય છે. ગુજરાતમાં 62% મૃત્યુ સિવિલ હોસ્પિટલમાં થયા છે. ત્યારે સરકારે વેન્ટિલેટરની વ્યવસ્થા કરવી જોઈએ. શક્તિસિંહે કહ્યું કે માનવતાનો ધર્મ બજાવવામાં સરકાર નિષ્ફળ ગઇ છે.
કોરોના સારવાર મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલો કર્યા હતા. કોરોના સંક્રમણ મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ હતી. હાઈકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતા સરકારને કહ્યુ હતુ કે, દર્દીઓની સારવાર યોગ્ય થવી જોઈએ. દર્દીઓને એવું ન લાગવું જોઈએ કે એમની સારવાર પશુઓની જેમ થાય છે.
શું હતુ અરજીમાં
જાહેરહિતની અરજી કરનારે તંત્ર પર આક્ષેપ લગાવ્યો હતો કે, હોસ્પિટલમાં દર્દીઓને જમવાનું યોગ્ય નથી અપાતુ. હોસ્પિટલમાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળે છે. ડોક્ટરોને પણ તકલીફોનો સામનો કરવો પડે છે. સરકારી હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતી હોવાનો દાવો કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર, ડોક્ટર્સને પડી રહેલી તકલીફો, લોકોને મળતું હલકી ગુણવત્તાયુક્ત જમવાનું આવા મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.
આ હાલત સુધરવી જોઈએ : હાઈકોર્ટ
આ મામલે હાઈકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું હતું કે અમદાવાદની સિવિલ હોસ્પિટલને લઈને રોજ મીડિયામાં ખરાબ હાલત અને બેદરકારીના સમાચાર આવી રહ્યાં છે ત્યારે આ ચિંતાનજક બાબત છે. આ સ્થિતિમાં જલ્દીથી સુધારો આવવો જોઈએ. હાઈકોર્ટની ટકોર સામે સરકાર વતી એડવોકેટ જનરલે ખાતરી આપી હતી કે આ સ્થિતિને સુધારવા માટે જલ્દીથી પૂરતા પ્રયાસ કરાશે.
મહત્વનું છે કે અગાઉ કોરોના વાયરસના દર્દીઓને સેવાઓ ન મળતી હોવાના ઘણા વીડિયો વાયરલ થયા હતા. જેમાં દર્દીઓએ ખુદ વીડિયો બનાવીને યોગ્ય સુવિધા અને સારવાર ન મળતી હોવાની ફરિયાદો કરી હતી.
કોરોના પોઝિટિવ દર્દીઓ બેડ નહીં મળતા સિવિલ હોસ્પિટલમાં ભટક્યા, વીડિયો બનાવી વ્યક્ત કરી વ્યથા.