CMO સચિવ અશ્વિનીકુમારે આજે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે, આજે મધ્યરાત્રીથી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ક્ફર્યુ મુકવામાં આવશે. આ સાથે જ સરકારી કચેરીઓ સહિત અમુક કચેરીઓ 20 એપ્રિલ પછી કાર્યરત થઈ જશે. આ સિવાય પણ કેટલીક અગત્યની વિગતો આપી હતી.
રાજ્યની અન્ય કચેરીઓ પણ હવે શરૂ થશે
રાજ્યના 26 જિલ્લાઓની 31 કોવિડ હોસ્પિટલમાં સારવાર મફત થશે
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે મધરાત્રીથી કર્ફ્યૂ
CM રૂપાણીએ રાજકોટ કલેક્ટર સાથે કરી વાત. કલેક્ટર સાથે પોલીસ કમિશનર-વરિષ્ઠ અધિકારી હાજર રહ્યાં . CM રૂપાણીએ વીડિયો કોન્ફરન્સથી પરીસ્થિતીનો તાગ મેળવ્યો. CM રૂપાણીએ વધુ કડક પગલા લેવા આપ્યા સૂચનો. CM રૂપાણી સાથે મુખ્ય સચિવ અને DGP પણ રહ્યાં હાજર. લોકડાઉન હોવા છતાં લોકોની અવરજવર ન અટકતા નિર્ણય લીધો છે.
રાજ્યના 26 જિલ્લાઓની 31 કોવિડ હોસ્પિટલમાં સારવાર મફત થશે
31 ખાનગી હોસ્પિટલો પાસે સરકારે બે મહિનાનો કર્યો કરાર. કરાર આધારિત તમામ પ્રકારની સારવાર મફત કરવામાં આવશે. રાજ્ય સરકારના ખર્ચે તમામ વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્ય સરકાર દવા અને PPE કીટ આપશે. દર્દીના સારવાર કરનારા સ્ટાફમાંથી કોઇનું મોત થાય તો વળતર. મૃતકના પરિવારજનોને 25 લાખની સહાય મળશે.
રાજ્યની અન્ય કચેરીઓ પણ હવે શરૂ થશે
વર્ગ-3 અને વર્ગ-4ના ત્રીજા ભાગના કર્મચારીને જ બોલાવાશે. હોટસ્પોટ અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતી ઓફિસ બંધ રહેશે. જિલ્લા કલેક્ટર સાથે CM વિજય રૂપાણીએ કરી વાત. 20 એપ્રિલથી બાદ તબક્કાવાર કેટલાક એકમોને છૂટ અપાશે. નિયમના પાલન સાથે ઉદ્યોગ શરૂ કરી શકાશે. APMCમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે જરૂરી. આજે રાજ્યમાં 60 માર્કેટિંગ યાર્ડ કાર્યરત છે.