25મી એપ્રિલથી કન્ટેનમેન્ટ ઝોનની બહારની કંપનીઓ શરૂ કરી શકાશે આ માટે કલેક્ટરની મંજૂરી લેવાની રહેશે વળી 25મી તારીખ પછી 35 હજારથી વધુ ઉદ્યોગો ધમધમતા કરી દેવામાં આવશે. NSFA અંતર્ગત 66 લાખ પરિવારનોને ઘઉં અને ચોખાનું મફત વિતરણ કરવામાં આવશે.
ઉદ્યોગોના હિતમાં રાજ્ય સરકારે લીધો નિર્ણય
કન્ટેન્ટમેન ઝોન બહારના ઉદ્યોગને મંજૂરી અપાઇ
એક્સપોર્ટના ઓર્ડર ધરાવતી કંપની માટે રાહત
25 એપ્રિલથી કન્ટેનમેન્ટ ઝોન બહારની કંપનીઓ શરૂ કરી શકાશે
એક્સપોર્ટના ઓર્ડર ધરાવતી કંપની માટે રાહતના સમાચાર છે. કંપની પાસે એક્સપોર્ટનો ઓર્ડર હોવો જરૂરી છે વળી 25 એપ્રિલથી કન્ટેન્ટમેન ઝોન બહારની કંપનીઓ શરૂ કરી શકાશે. આ માટે કલેક્ટરને અરજી કરી કંપનીઓ મંજૂરી મેળવી શકશે. તમામ કંપનીઓમાં નિયમોનું પાલન કરાવવાનું રહેશે. 35 હજાર ઉદ્યોગો શરૂ કરવામાં આવશે.
અનાજ વિતરણની તારીખો કરી જાહેર
25મી તારીખથી વિતરણ શરૂ કરવામાં આવશે. પાંચ દિવસ NFSA અંતર્ગત 66 લાખ પરિવારોને ફરીથી રાશન આપવામાં આવશે. જેમાં વ્યક્તિ દીઠ ફરીથી 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા આપવામાં આવશે. આ તારીખે પુરવઠો લેવા ન જઈ શકે તેના માટે 30મી તારીખે વ્યવસ્થા કરવામાં આવશે.
રાશનકાર્ડમાં છેલ્લો આંક 1, 2 હશે તેમને 25મી એપ્રિલે
રાશનકાર્ડમાં છેલ્લા આંક 3, 4 હોય તેમને 26મી એપ્રિલે
રાશનકાર્ડમાં છેલ્લા આંક 5 , 6 હોય તેમને 27મી એપ્રિલે
રાશનકાર્ડમાં છેલ્લો આંક 7, 8 હોય તેમને 28મી એપ્રિલે
રાશનકાર્ડમાં છેલ્લો આંક 9, 0 હોય તેમને 29મી એપ્રિલે
મહત્વનો નિર્ણય
રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી દીધી. એટલે GSDMA દ્વારા COVID 19 હેઠળ દાન આપી શકશો જે CSR તરીકે કરવેરામાંથી માફી મળશે.
જનજીવન સામાયન્ કરવા આ લોકોને પરમિશન
પમ્બલર, મિકેનીક, સુથાર, એસી, દરજી, વગેરેને મંજૂરી આપવા કલેક્ટરને તાકીદ કરી છે. કોઈ પણને જ્યારે સુથાર, ઈલેક્ટ્રીશિયન, પમ્બલર વગેરેની જરૂર પડે તો તે ખાનગી લોકોની સેવા લે તે પણ જરૂરી છે.
1000 રૂ. જમા કરાવવામાં આવ્યા છે
NFSAના 66 લાખ કાર્ડ હોલ્ડરનો અત્યાર સુધી 34 લાખ કુંટુબમાં 340 કરોડ રૂપિયા લોકોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવેલ છે.