ગુજરાતમાં રાજકોટમાં નોકરી ધંધા શરૂ કરવામાં આવશે. રાજકોટ પહેલેથી જ ઓરેન્જ ઝોનમાં હતુ પરંતુ છેલ્લા કેટલાક સમયથી ત્યાંથી એક પણ કેસ ન નોંધાતા હવે રાજકોટના કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં નોકરીધંધા પૂર્વવત કરવા માટે છૂટછાટ આપવામાં આવી છે. આ અંગે CMO સચિવે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી.
રાજકોટમાં 14મી મેથી છૂટછાટ
આજે 264 ટ્રેન ગુજરાતથી પરપ્રાંત જવા રવાના થશે
156 નગરપાલિકામાં જનજીવન સામાન્ય
ગુરૂવારથી રાજકોટમાં જનજીવન સામાન્ય
ગુરૂવાર 14મી મે થી કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ઉદ્યોગ ધંધા શરૂ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરથી આ પરવાનગી આપવામાં આવશે.
PM મોદી સાથે CM રૂપાણીએ કરી વાત
ગઈકાલે PM મોદીએ દરેક રાજ્યના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી હતી. જેમાં સીએમ રૂપાણીએ જૂનાગઢ, જામનગર અને 156 નગરપાલિકા સહિત રાજ્યના તમામ ગામોમાં જનજિવન, ખેતીવાડી, વેપાર અને ઉદ્યોગ સામાન્યવત થઈ રહ્યુ હોવાની વાત કરી હતી. 8 લાખ લોકો નોકરી-ધંધે જઈ રહ્યા છે.
સાવધાની સાથે ઘરથી બહાર નીકળી જનજીવનને સામાન્ય કરવા સરકારની નવી નીતિ રહેશે. કન્ટેનમેન્ટ ઝોનની સિવાયની તમામ જગ્યા શરૂ કરવા માટે રાજ્યસરકારે નિર્દેશ આપ્યા છે.