ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીને લોકડાઉન ખોલતા જ મોકળુ મેદાન ન મળી જાય તેનું ધ્યાન રાખવું ગુજરાત સરકાર માટે માથાનો દુખાવો બની ગયુ છે. હાલ આ મુદ્દે આજે મુખ્યમંત્રી પોતાના મંત્રી મંડળ સાથે ડિજિટલ માધ્યમથી કોન્ફરન્સ કરવાના છે. આ પહેલા પણ 26મી તારીખે રાજ્ય સરકારે છુટ આપ્યા બાદ અમદાવાદ અને સુરત મનપા કમિશનરે શહેરમાં દુકાનોને ખોલવા માટે છુટ ન આપતા ગુજરાત સરકારનું કમ્યુનિકેશનનું ભોપાળુ બહાર આવ્યુ હતુ જેને ટાળવા આ વખતે પહેલેથી જ સરકાર તમામ લોકોની રાય લઈને નિર્ણય લેવાના મૂળમાં છે.
ગાંધીનગરમાં આજે વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક
તમામ મંત્રી વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠકમાં જોડાશે
બેઠકમાં લોકડાઉનની સમય મર્યાદા મુદ્દે મહત્વની ચર્ચા થશે
બેઠકમાં લોકડાઉનની સમય મર્યાદા મુદ્દે મહત્વની ચર્ચા થશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની સ્થિતિ મુદ્દે બેઠકમાં ચર્ચા થશે. સાથે જ 3 મેના રોજ મનપા સિવાયના વિસ્તારમાં મુક્તિ આપવાને લઈને પણ ચર્ચા કરાશે.
ગ્રીનઝોનમાં લોકડાઉનમાં છૂટ
હાલ રાજ્યમાં ગ્રામ્યવિસ્તારમાં લોકડાઉનમાંથી શરતી છૂટ આપવામાં આવી છે પણ શહેરના વિસ્તાર અને અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગરમાં લોકડાઉન યથાવત છે અને હજુ યથાવત રહે તેવી સંભાવના છે.
28થી શરૂ થયો ઈક્યુબેન્શન પિરિયડ
ગઈકાલથી ગુજરાતમાં ઈક્યુબેશન પિરિયડ શરૂ થયો છે એટલે કે કેસની સંખ્યા વધશે અને મોત પણ વધશે એવામાં 3 જી મેથી લોકડાઉનમાં છૂટ મહામારી માટે મોકળુ મેદાન બની શકે છે.