સીએમ વિજય રૂપાણીએ મોરારી બાપુ સાથે સંવાદ કર્યો. સીએમ રૂપાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મોરારિ બાપુ સાથે સંવાદ કર્યો. ત્યારે મોરારી બાપુએ પણ કહ્યું કે આ સ્થિતિમાં સરકાર થોડી પણ લોકોને છૂટ ન આપે. સરકાર જે પગલા ઉઠાવે છે તે બરાબર છે. મારી વ્યાસપીઠ રાજપીઠની સાથે છે.
તબલીગી સમાજને કારણે ચિંતામાં વધારો
આગામી દિવસો કપરા છે : CM
સુખાકારીને સ્વથી સર્વ સુધી પહોંચાડીએ : મોરારી બાપુ
તબલીગીઓને કારણે અમદાવાદમાં કેસ વધ્યા ગઈકાલે રાતે 18 કેસ વધ્યા. જેમાં મોટાભાગના કેસ સ્થાનિકોને ચેપ લાગવાથી થયા છે. સરકારે નક્કી કર્યુ છે કે આવા વિસ્તારને હોટસ્પોટ કરીને તેમને સિલ કરીને તેમના ઘરેઘરે જઈને દરેક વ્યક્તિની તપાસ કરવાનું નક્કી કરી લીધુ છે.
લોકડાઉન કડક કરવાનો સમય
હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમાંથી ઘણા રિકવર થયા છે અને પાછા ઘરે પણ ગયા છે. 6000 કેબિનની હોસ્પિટલ તૈયાર રાખી છે. 65 લાખ પરિવારને મફતમાં અનાજ આપ્યુ છે. સપ્લાય ચેન ન તુટે તેનું પણ ધ્યાન રખાઈ રહ્યુ છે. લોકડાઉન થોડુ વધુ કડક કરવાનો સમય આવી ગયો છે.
આગામી દિવસો કપરા છે
આગામી પાંચ સાત દિવસ મહત્વના છે. આપણે સંકટ સમયમાથી પસાર થઈ રહ્યા છીએ. સંતોના આર્શિવાદથી ગુજરાતમાં હજુ તો પરિસ્થિતિ સારી છે.
શું કહ્યુ મોરારી બાપુએ?
મેં બધી વિગતો સાંભળી. સમાચારોથી અવગત છું. પણ તમારા જણાવ્યા અનુસાર જે વિગતો છે. તે મુજબ હું જાહેર જનતાને એક સાધુ તરીકે જનતાને અપીલ કરુ છું કે કેન્દ્ર અને
સર્વભૂતહિતાય વિચારીને લોકડાઉનનું છુંટ કે અસંયમ કરવાથી વિશ્વમાં જે કપરા પરિણામ આવ્યા છે તે ગુજરાતમાં પણ આવી શકે છે એટલે કેન્દ્ર અને રાજ્ય સરકારને મદદ કરવી જોઈએ.
સુખાકારીને સ્વથી સર્વ સુધી પહોંચાડીએ
મારી વ્યાસપીઠ આપણી રાજપીઠની સાથે છે. મારી અપીલ છે કે, લોકો સરકાર જે કહે છે તેને સમજે અને તે મુજબ જ વર્તે. ગુજરાત રિકવર થાય અને પરિસ્થિતિ બગડે નહીં એ માટે જરૂરી છે. હું સમગ્ર રાષ્ટ્રને સાધુ તરીકે અપીલ કરુ છું. કે સ્વથી સર્વ સુધી પહોંચાડીએ. આજે રાતે 9 વાગ્યાથી 9 મિનિટ સુધી પ્રકાશ રેલાવીએ. અસતોમાં જ્યોતર્તિગમ્ય. દીપ પ્રગટાવીને કોરોનાને હરાવીએ અને મંગલ તરફ જઈએ.