CM રૂપાણીએ આજે કોરોનાના દર્દીઓ સાથે ફેસબુકના માધ્યમથી વાતચીત કરી હતી. દર્દીઓની સાથે સાથે ડોક્ટર સાથે પણ સંવાદ કરીને રાજ્યમાં ગ્રાઉન્ડ લેવલે કોરોનાની સારવાર અંગે માહિતી મેળવી હતી.
કોરોનાના ડોક્ટર સાથે કરી વાતચીત
દર્દીઓ સાથે પણ સંવાદ
કેટલાક દિવસથી ઉઠી રહી હતી દર્દી તરફથી ફરિયાદો
અમદાવાદના કોરોના અસરગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા ડૉક્ટરો અને કોરોના અસરગ્રસ્ત દર્દીઓ સાથે સંવાદ કરીને સારવાર અંગે તેમજ સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી.
દર્દીઓ કરી રહ્યા હતા ફરિયાદના વીડિયો વાયરલ
સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને પ્રોપર સારવાર ન મળતી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. આ અંગે CM રૂપાણીએ ખુદ કોરોનાના ડોક્ટર અને દર્દીઓ સાથે સંવાદ સાધ્યો હતો. અને તેમના ખાવા પીવાથી લઈને રહેવા અને તાવ કે બીજા કોઈ પણ મુશ્કેલી અંગે પુછપરછ કરી હતી.