દિલ્હીમાં તબલીગી જમાતના નિઝામુદ્દીન મરકજમાં ધાર્મિક કાર્યક્રમના મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની બેદરકારી સામે આવતા જ ચકચાર મચી ગઈ છે. ગુજરાત સહિત દેશના અને વિદેશના લોકો આ મકરજમાં સામેલ થયા હતા જેમાંથી અત્યાર સુધીમાં 120 લોકો કોરોના પોઝિટિવ આવી ચુક્યા છે. ગુજરાતમાં પણ ભાવનગરમાં આ જ કાર્યક્રમમાંથી પરત આવેલ વૃદ્ધ કોરોનાથી મૃત્યુ પામ્યો છે. સુરત, વડોદરા અને અમદાવાદ સહિત તમામ શહેરમાં લોકો આ મકરજમાં સામેલ થયા હતા જેમાંથી ચેપ ફેલાવવાની શક્યતા ખુબ જ વધી ગઈ છે. આ મામલે સીએમ રૂપાણીએ લાલ આંખ કરી હતી.
2000 લોકોએ સાથે મળીને કોરોનાને ફેલાવવામાં આપ્યો સહયોગ
દિલ્હીમાંથી ફેલાયા દેશમાં
120 લોકો આવી ચુક્યા છે કોરોના પોઝિટિવ
શું કહ્યુ CM રૂપાણીએ
21 દિવસના લોકડાઉનના કારણે પરિસ્થિતિ કાબુમાં આવી જશે. જે પોઝિટિવ કેસ આવ્યા છે તેમની સારી રીકે સાર સંભાળ થઇ રહી છે. વીડિઓ કોન્ફરન્સથી કેબિનેટ મીટીંગ કરવામા આવી છે. દિલ્હીમાં તબલીગી જમાતમાં ગયેલા નિઝામુદ્દીન મરકજમાં ધાર્મિક કાર્યક્રમનો મામલે સીએમ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, સુરત, ભાવનગર, વડોદરા સહિત જે પણ લોકો દિલ્હી આ મકરજમાં ભાગ લઈને પરત આવ્યા છે. તેમને શોધીને ક્વોરોન્ટાઈન કરાશે. એટલુ જ નહીં પરંતુ તેમના ઉપર આ મામલાને છુપાવવા મામલે અને કાનૂનનો ભંગ કરવા મામલે કાર્યવાહી પણ કરવામાં આવશે.
દિલ્હીમાંથી ફેલાયા દેશમાં
નિજામુદ્દીનની મરકજ બિલ્ડિંગ કોરોનાવાઈરસનું કેન્દ્ર છે. અહીંથી બુધવારે સવાર સુધીમાં 2000થી વધુ જમાતિયોને બહાર નીકળવામાં આવ્યા છે. અહીંથી નીકળેલા લોકોની શોધમાં 20થી વધુ રાજ્યોમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમાંથી ઘણા લોકોને ટ્રેસ કરી લેવામાં આવ્યા છે.
120 લોકો આવી ચુક્યા છે કોરોના પોઝિટિવ
ઉલ્લેખનીય છે કે મરકજમાંથી ગયેલા 120 લોકોમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમાંથી 77 માત્ર તમિલનાડુમાં છે. 9 દર્દી અંદમાન-નિકોબાર, 4 આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં અત્યાર સુધીમાં 24 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ તેલંગણામાં 6 દર્દી પોઝિટિવ આવ્યા હતા.
ગુજરાતમાં પણ દિલ્હીથી આવ્યો કોરોના
ગુજરાતમાં પણ આ મકરજમાં ભાગ લઈને પરત આવેલા વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભાવનગરમાં એક કોરોના પોઝેટિવ મામલો આવ્યો હતો જેનું મોત થયુ હતુ. આ મામલાઓ વધે તેવી શકયતા છે.