કોરોનાના વધતા કેસને લઈને CM રૂપાણીએ આજે મહત્વનું નિવેદન આપ્યું હતુ. જેમાં તેમણે હજુ પણ કેસ વધશે તેવી સંભાવના વ્યકત કરી હતી.
કોરોનાના કેસને લઈને બોલ્યાં CM
'સંક્રમણ વધુ છે પરંતુ મૃત્યુઆંક ઓછો'
'વિધાનસભા સત્ર ટૂંકાવાશે નહીં'
ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસ અને હજુ પણ કેસ વધશે તેને લઈને CM રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું હતુ.
હજુ કેસમાં વધારો થઈ શકે છે
CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, કોરોનાની સાયકલ મુજબ કેસ વધે છે અને પછી તેમાં ઘટાડો જોવા મળે છે. જો કે, હજુ કેસમાં વધારો થઈ શકે છે. કોરોના સંક્રમણ વધારે છે પરંતુ મૃત્યાંક નીચો છે હજુ સુધી મૃત્યાંક કંટ્રોલમાં છે. ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટની નીતિ આધારે કામગીરી થઈ રહી છે. ગઇકાલે 70 હજાર કરતા વધુ ટેસ્ટિંગ કરાયા હતા. 70 ટકા બેડ ખાલી છે
હેલ્પલાઈન નંબર ચાલુ છે
104 હેલ્પલાઇનની કામગીરી ચાલી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ એમ 4 મહાનગરપાલિકામાં કેસ વધુ છે. 4 મનપાઓમાં સરકારનું ફોક્સ છે. સમગ્ર દેશમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતમાં 70 ટકા બેડ ખાલી છે
વિધાનસભા સત્ર નહી ટૂંકાવાય
વિધાનસભા ગૃહ ટુંકાવવાની વિપક્ષની માંગને લઈને CM રૂપાણીનું નિવેદન આપ્યુ હતુ કે, વિધાનસભા સત્ર નહી ટૂંકાવાય અને 8 જેટલા વિધેયક પસાર કરવામાં આવશે. તમામ વિધયક પસાર કરીને નિયત કરેલા સમયે સત્ર પૂર્ણ થશે.
ગુજરાતમાં કોરોના બેકાબૂ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ચિંતાજનક વધારો નોંધાયો છે. સોમવારે રાજ્યમાં 1640 કેસ, મંગળવારે 1730 કેસ અને આજે 1790 કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યું છે તે સ્પષ્ટ છે.
મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ચિંતા વધી
મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ખાસ કરીને આજે નોંધાયેલા કેસ એ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત છે. જેમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયેલા છે.
સુરત અને અમદાવાદમાં કોરોનાનો હાહાકાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં રાજ્યના સૌથી વધુ 480 કેસ અને ગ્રામ્યમાં 102 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 506 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 8 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 145 કેસ, જ્યારે ગ્રામ્યમાં 20 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 130 કેસ અને ગ્રામ્યમાં 30 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
ગુજરાતમાં મળ્યા કોરોનાના નવા વેરિયન્ટના 39 કેસ
રાજ્યમાં કોરોનાના કહેરની વચ્ચે ગુજરાત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટના 39 કેસ આવ્યા છે. જીનોમ સિક્વિન્સીંગમાં ડબલ મ્યૂટેન્ટ વાયરસની હાજરી જોવા મળી છે. તો 18 રાજ્યોમાં કોરોનાના 71 નવા કોવિડ વેરિયન્ટ મળ્યા છે. પંજાબમાં 336 સેમ્પલમાં, તેલંગાણામાં 87 સેમ્પલમાં, દિલ્લીમાં 65 સેમ્પલમાં અને મહારાષ્ટ્રમાં 56 સેમ્પલમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ મળ્યા છે.