રેમડેસિવિર ઇન્જેક્શનને લઇ CM રૂપાણીએ અપીલ કરી હતી.
રેમડેસિવિર ઇન્જેક્શનને લઇ CMની અપીલ
રેમડેસિવિર પ્રાયોગિક દવાઓની શ્રેણીમાં: CM
કોવિડના દરેક દર્દીઓ માટે જરૂરી નથીઃ CM
રેમડેસિવિર ઇન્જેક્શનને લઇ CM રૂપાણીએ અપીલ કરી છે કે, રેમડેસિવિરના ઉપયોગ અંગે સાચી સમજણ કેળવીએ. સરકારે રેમડેસિવિરને પ્રાયોગિક દવાઓની શ્રેણીમાં મુકી છે. રેમડેસિવિરના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે પણ આ દવા કોવિડના દરેક દર્દીઓ માટે જરૂરી નથી.
ગૃહમંત્રી અમિત શાહે પણ કરી હતી અપીલ
રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેકશનની અછત છે તેવામાં ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં સૂચક નિવેદન કર્યુ છે કે..,હું અપીલ કરવા માંગીશ કે રેમડેસિવિર ત્યારે જ પ્રિસ્ક્રાઇબ કરે જ્યારે જરૂર હોય. એઇમ્સ તરફથી એક ગાઇડ લાઇન ઇશ્યું કરવામાં આવી છે. વધારે પડતો ઓક્સિજન કે રેમડેસિવિરનો ડોઝ દર્દી માટે તકલીફ પણ ઉભો કરતો હોય છે. ગુજરાત સરકારે એક કમિટી બનાવીને ગાઇડ લાઇન બનાવવાનો નિર્ણય લીધો છે.
સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી
સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી મામલે PCBએ રેડ કરી 4 આરોપીઓની ધરપકડ કરી છે. 12 હજારમાં ઇન્જેક્શન વેચતા હતા. 3 ઇન્જેક્શન પોલીસે જપ્ત કર્યા છે. 2 ડોક્ટર અને અન્ય 3 શખ્સોની સંડોવણી સામે આવી છે. કતારગામના ડો.સાહિલ ઘોઘારીની ધરપકડ કરી છે. એક ડોક્ટરને વોન્ટેડ જાહેર કરાયો છે. હિતેશ ડાભી નામનો ડોક્ટર ફરાર થઈ ગયો છે જ્યારે જેનિશ કાકડીયા, ભદ્રેશ નાકરાણી, જૈમિશ જીકાદરાની ધરપકડ કરી લેવામાં આવી છે.