કોરોના વાયરસના વધેલા કેસને લઈને આજે મુખ્યમંત્રી રૂપાોણી અગત્યનું નિવેદન આપ્યુ હતુ. તેમણે લોકડાઉન અને વધી રહેલા કેસ અંગે પણ વાત-ચીત કરી હતી.
કોરોનાના વધતા કેસને લઈને બોલ્યા CM રૂપાણી
રાજ્યમાં લોકડાઉન લગાવવાની કોઈ જ વિચારણા નથી-CM
સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ છે-CM
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એકવાર ફરીથી ગુજરાતમાં લોકડાઉનની અફવાઓને ખંડીત નિવેદન આપ્યુ છે. તે સાથે જ તેમણે કહ્યુ હતુ કે, ગુજરાતમાં ચૂંટણીને લીધે કેસ નથી વધ્યા.
લોકોએ પેનીક થવાની જરૂર નથી. ગુજરાતમાં કોઈ લોકડાઉન નથી થવાનું. દિવસે કોઈ લોકડાઉન નહીં થાય. ગુજરાતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને ભારતમાં કેસ વધી રહ્યા છે. જ્યાં ચૂંટણી નહતી ત્યાં પણ કોરોનાના કેસ વધ્યા છે. કોરોનાથી બચવા માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઈડલાઈન અને વેક્સિન બે જ રસ્તા છે. લોકો આગળ આવીને વેક્સિનેશન લે તો સારૂ છે. બજેટ સત્ર ચાલુ છે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બજેટ સત્ર તો ચાલુ જ રહેશે.