રાજકોટમાં CMના આગમન પહેલા માઠા સમચાર સામે આવ્યા છે. કોરોનાથી રાજકોટમાં આજે 7 દર્દીઓના મૃત્યુ થયા છે. સિવિલ હોસ્પિટલમાં 4 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે.
રાજકોટમાં મુખ્યમંત્રી રૂપાણીના આગમન પહેલા માઠા સમાચાર
કોરોનાથી રાજકોટમાં આજે 7 દર્દીઓના મૃત્યુ
રાજકોટમાં કોરોના સંક્રમિતોની સંખ્યા અને મૃત્યુઆંક વધી રહ્યા છે
રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં 2 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજકોટમાં પોઝિટિવ કેસ અને મૃત્યુમાં સતત વધારો થઇ રહ્યો છે. વઢવાણ, રાજકોટ, જૂનાગઢ, ઉપલેટાના દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. જેતપુર, લીંબડી,જસદણના દર્દીઓના મૃત્યુ થયા છે.
રાજકોટ અને વડોદરામાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ અને વડોદરાની મુલાકાત લેશે. કોરોનાના સંક્રમણને લઈ બંને જિલ્લામાં બેઠક કરશે. કોરોના નિયંત્રણની સ્થિતિને લઈને તેઓ સમીક્ષા બેઠકો યોજશે. જેમાં મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ સચિવો પણ સાથે જોડાશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ અધિકારીઓને માર્ગદર્શન આપશે. સવારે 10.30 કલાકે રાજકોટ જિલ્લાના અધિકારીઓને તેઓ મળશે. બપોરે 3 વાગ્યે વડોદરા જિલ્લાના અગ્રણીઓને મળશે. આ બેઠકમાં શહેર અને ગ્રામ્ય ક્ષેત્રની કોરોના સ્થિતી પર ચર્ચા કરશે. કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, DDO, CPને મળશે. સાંસદો, ધારાસભ્યો, મેયર, મનપાના પદાધિકારીઓ સાથે ચર્ચા કરશે. તેઓ કોરોના મામલે તબક્કાવાર બેઠક બાદ ગાંધીનગર પરત ફરશે.