રાજકોટમાં અધિકારીરાજ ચાલતું હોય તેનું ઉદાહરણ સામે આવ્યું છે. સીએમ રૂપાણીના આદેશ બાદ પણ રાજકોટમાં ટેસ્ટિંગમાં વધારો નથી કરાયો. સીએમ રૂપાણીના આદેશને પણ અધિકારીો ઘોળીને પી જતા હોય તેમ લાગી રહ્યું છે.
CMના ટેસ્ટ વધારવાના આદેશ બાદ પણ ટેસ્ટમાં ઘટાડો
ગઈકાલે રાજકોટમાં માત્ર 194 જ ટેસ્ટ કરાયા
એક સપ્તાહથી પ્રતિદિન 300-350 ટેસ્ટ થતા હતા
સીએમએ ટેસ્ટ વધારવાનો આદેશ આપ્યો હોવા છતા પણ રાજકોટમાં ગઇકાલે 194 ટેસ્ટ થયા છે. અને એક સપ્તાહથી પ્રતિદિન 300-350 ટેસ્ટ થતા હતા. ત્યારે ટેસ્ટિંગ ડબલ કરવાના બદલે તંત્રએ ટેસ્ટ ઘટાડી દીધા છે. રાજકોટમાં 24 જુલાઇએ 322 ટેસ્ટ, 25 જુલાઇએ 309, 26 જુલાઇએ 393, 27 જુલાઇએ 310 ટેસ્ટ, 28 જુલાઇએ 415 ટેસ્ટ જ્યારે 20 જુલાઇએ 194 ટેસ્ટ કર્યા છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજકોટમાં આજે કોરોનાથી વધુ 11 દર્દીના મૃત્યુ થયા છે. ગતરોજ 10 દર્દીના મૃત્યુ થયા હતા. રાજકોટના 7, ગોંડલના 2 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે વઢવાણ અને જસદણના એક એક દર્દીના મૃત્યુ થયા છે.