ભાવનગરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને સરકાર ચિંતીત બની છે. બીજીબાજુ સિવિલ હોસ્પિલમાં પણ ભારે અવ્યવસ્થાને લઈને તંત્ર ઉપર માછલાં ધોવાઈ રહ્યાં છે તેવા સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ જ્યંતી રવિ, કે. કૈલાસનાથન સહિતના મહાનુભાવો સમીક્ષા બેઠક માટે ભાવનગર પહોંચ્યા હતાં.
ભાવનગરમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે
CM રૂપાણીએ કોરોનાની સ્થિતિને પહોંચી વળવા જણાવ્યો પ્લાન
શું ખરેખર ગુજરાતમાં બધુ હેમખેમ છે?
સૌ પહેલા અધિકારીઓની બેઠક મળી હતી જેમાં સિવિલ સત્તાવાળાઓ સામે અનેક સવાલો ઉભા થયા હતાં. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આપણી સ્થિતિ નિયંત્રણમાં છે કોરોનાને લઈને તેમને જણાવેલ કે આજે ગુજરાત કોરોનાને લઈને 14માં નંબરે છે. અહીં સ્પર્ધાની વાત નથી પણ આપણે અહીં મૃત્યુ દર ઘટ્યો છે, લોકોના સાજા થવાનો રેસિયો સારો છે.
રાજ્યમાં દરરોજ 25000 જેટલા ટેસ્ટ
CM રૂપાણીએ જણાવ્યું હતુ કે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ એકંદરે નિયંત્રિત છે. કોરોના દર્દીઓ માટે ઇન્જેક્શન પણ પૂરતા પ્રમાણમા ઉપલબ્ધ છે. આ ઇન્જેક્શનોની દેશમાં કુલ આયાતમાંથી 500 ઇન્જેક્શન માત્ર ગુજરાત આયાત કરે છે. રાજ્યમાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા સતત વધારવામાં આવી રહી છે. WHO મુજબ પ્રતિ 10 લાખ વ્યક્તિએ 400 વ્યક્તિના ટેસ્ટ થઈ રહ્યા છે. હાલ રાજ્યમાં દરરોજ 25000 જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
તહેવારો અને મેળાઓ પર પ્રતિબંધ
ગુજરાતમાં પહેલેથી જ સીએમ રૂપાણીએ મેળાઓ અને ધાર્મિક સ્થળો પર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે હવે કોરોનાને કંટ્રોલમાં લાવવા પ્રયાસો થઈ રહ્યા છે.
રાજ્યની પહેલ એવા ધન્વંતરી રથની નોંધ દેશ અને દુનિયામાં લેવાઈ
CM રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગર શહેરમાં ધન્વંતરી રથના માધ્યમથી ગીચ વિસ્તારોમાં જઇને લોકોના આરોગ્યની તપાસ કરવા તથા રથ દ્વારા નિયત સમયે નિયત સ્થળે સતત લોકોની તપાસ થતી રહી છે. રાજ્યની પહેલ એવા ધન્વંતરી રથની નોંધ દેશ અને દુનિયામાં લેવાઈ છે. ગુજરાતની આ પહેલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કેસ સ્ટડી તરીકે લઇ શકાય તે માટે પણ વિશ્વ આરોગ્ય સંસ્થાએ સૂચવ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
ભાવનગર માટે આ છે પ્લાન
ભાવનગર જિલ્લામાં કોરોના ટેસ્ટની સંખ્યા વધારવામાં આવશે તથા જિલ્લાની સરહદે આવેલી ચેકપોસ્ટ પર સ્ક્રિનિંગ સઘન બનાવાશે. શહેર-જિલ્લાના કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેલા લોકોના ટેસ્ટિંગ ઉપર ખાસ ભાર મૂકી આવા કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેતા લોકો માટે સંજીવની રથથી આરોગ્ય તપાસ-સારવાર સુવિધા ઉપલબ્ધ બનાવવા તેમજ રોગપ્રતિકારકશકિત વધે તે માટે નિયમિત ઉકાળાનું વિતરણ કરવા પણ જણાવ્યું હતું.
રાજસ્થાનના ભાજપના ધારાસભ્યો મામલે CMની બોલતી બંધ
રાજસ્થાન ના ભાજપ ના ધારાસભ્યો ને કેમ ગુજરાત લવાયા તેવા સવાલ સમયે રૂપાણી ખુરશી માંથી ઉભા થઇ ચાલતી પકડી હતી