CM રૂપાણીના ગામમાં કોરોનો વિસ્ફોટ થયો છે. સફાઈકર્મી એક પછી એક કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. 900 જેટલા સફાઈ કર્મચારીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતુ જેમાં ચોંકવનારા રિપોર્ટ બહાર આવ્યા છે.
900 જેટલા સફાઈ કર્મચારીઓનું કરવામાં આવ્યું સ્ક્રીનિંગ
45 કર્મચારીઓ આવ્યા હતા પોઝિટિવ
તમામ 45 કર્મચારીઓને ખસેડાયા છે આઈસોલેશનમાં
રાજકોટમાં કોરોનાની રોકથામ માટે કવાયત હાથ ધરવામાં આવી છે. 4 દિવસ સફાઈ કર્મચારીઓનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. અને આગામી 2 દિવસ સેન્ટ્રલ ઝોન કચેરીમાં પણ સ્ક્રીનિંગ કરવામાં આવશે.
45 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ઈસ્ટ ઝોન કચેરીમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું..જેથી 900 જેટલા સફાઈ કર્મચારીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું જેમાંથી 45 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.. તમામ 45 કર્મચારીઓને હવે ઓઈસોલેશનમાં ખસેડવામાં આવ્યા છે.
કોરોના વાયરસના કારણે ગુજરાતમાં દિવસેને દિવસે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ 61 લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક માસથી રેપિડ એન્ટીજન કિટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 57,234 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે ટેસ્ટિંગનો કુલ આંકડો 14,15,598 પર પહોંચ્યો છે.
63,710 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
આજે કોરોનાના 1126 કેસ જ્યારે 1131 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 63,710 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 78.71 ટકા થયો છે. આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ અને વડોદરામાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ કેસ નોઁધાયા છે.રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને કોરોનાથી મોતનો આંકડો રાજ્યમાં 2822 પર પહોંચ્યો છે.