અમદાવાદ સિવિલ હોસ્પિટલના હેડનર્સ કેથરિન ક્રિશ્ચિયનનું 19મી મે 2020ના રોજ કોરોનાને કારણે મોત થયું હતું. જેના પગલે રાજ્યનો આરોગ્ય વિભાગમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. કોરોના વોરિયર્સ પણ કોરોના સામે હારી જાય ત્યારે સહજ છે કે અન્ય સ્ટાફમાં પણ ગમગીની અને ફફડાટ પેઠો હતો. ડે.સીએમ નીતિન પટેલે આ અંગે ફેસબુકના માધ્યમથી હેડનર્સ કેથરિન ક્રિશ્ચિયને શ્રદ્ધાંજલિ આપી હતી.
કોરોના સામે હેડ નર્સ જંગ હારી ગયા
DYCM નીતિન પટેલે પણ આપી શ્રદ્ધાંજલિ
સિવિલમાં COVID 19 વોર્ડમાં ફરજ નિભાવતા લાગ્યો ચેપ
કેથેરિન ક્રિશ્ચિન 26 માર્ચથી 3 મે સુધી COVID 19 હોસ્પિટલના A-2 વોર્ડના હેડનર્સ તરીકે ફરજ બજાવી હતી. દરમિયાન તેઓ કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવતા કારણે તેમને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની સિવિલ હોસ્પિટલ ખાતે જ સારવાર ચાલતી હતી. તે દરમિયાન આજે કોરોના સામેની તેમની જંગ અધૂરી રહી અને કોરોના જીતી ગયો. તેમના પાર્થિવ દેહને સેલ્યુટ કરીને સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સે અંતિમ સન્માન કર્યું હતું.
રાજ્યના આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શોક વ્યક્ત કર્યો હતો.
સિવિલ હોસ્પિટલે એક શોક સંદેશમાં જણાવ્યું હતું કે, સમગ્ર સિવિલ હોસ્પિટલ પરિવાર વતી અમે પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર સદગતના આત્માને ઈશ્વરીય દિલાસો આપે તેમજ તેમના કુટુંબીજનોને આ અચાનક આવી પડેલી આપત્તિ સામે ખૂબ જ હિંત અને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી ખરા હૃદયથી પ્રાર્થના કરીએ છીએ.