વિકાસની વાતો કરતા નેતાઓ ખુદ કોરોના થાય કે બીજી કોઈ બીમારી થાય તો કેમ ખાનગી હોસ્પિટલોની શરણે જાય છે શું તેમને તેમના વિકાસની વાતો પર વિશ્વાસ નથી? સરકારી હોસ્પિટલો ગરીબો માટે જ છે? બે મોઢાળા નેતાઓની કરની અને કથનીમાં કેમ ફેર છે? આવો જાણીએ કયા નેતાએ કોરોનાની સારવાર ખાનગીમાં લીધી અને કયા નેતાએ સારવાર સરકારીમાં લીધી,
કોરોનાકાળમાં નેતાઓને જ નથી સરકારી હોસ્પિટલ પર ભરોસો
32 નેતાઓમાંથી માત્ર 9 નેતાઓએ સરકારી હોસ્પિટલમાં લીધી સારવાર
કોરોનાકાળમાં નેતાઓને જ સરકારી હોસ્પિટલો પર ભરોસો રહ્યો નથી. કોરોના સંક્રમિત 12 નેતાઓએ જ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી છે. 32 નેતાઓમાંથી માત્ર 9 નેતાઓએ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી છે. અન્ય 9 MLA સહિય 12 નેતાઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી છે. અન્ય 11 નેતાઓએ હોમ આઈસોલેશનમાં રહેવાનું પસંદ કર્યુ છે.
શા માટે નેતાઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું કરે છે પસંદ?
સરકારી હોસ્પિટલના શ્રેષ્ઠ સારવારના દાવાની પોલ ખુલી ગઇ છે. ત્યારે સવાલ એ થાય કે જો સારવાર શ્રેષ્ઠ છે તો નેતાઓને ખાનગી હોસ્પિટલ પ્રત્યે પ્રેમ કેમ?. સરકારી હોસ્પિટલથી નેતાઓને કેમ લાગે છે ડર? શા માટે નેતાઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું કરે છે પસંદ?