ગુજરાતમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ સ્વાઈન ફ્લૂનો કહેર ચોક્કસ વર્તાઈ રહ્યો છે. રાજકોટમાં 24 કલાકમાં સ્વાઈન ફ્લૂથી બેના મોત થયા છે ત્યારે જામનગરમાં વધુ એક સ્વાઈન ફ્લૂનો પોઝેટીવ કેસ સામે આવ્યો છે.
વિદેશથી પરત આવેલા યુવકનો કેસ શંકાસ્પદ
જામનગરમાં સ્વાઈન ફ્લીનો કેસ
24 કલાકમાં શહેરમાં સ્વાઈન ફ્લૂથી 2 લોકોના મોત
વિદેશથી પરત આવેલા યુવકનો કેસ શંકાસ્પદ
ઇંગ્લેન્ડના નોટિંગહામ શહેરમાંથી પરત ફરેલા 19 વર્ષીય યુવકમાં કોરોના વાયરસ( coronavirus )ના શંકાસ્પદ લક્ષણો જણાતા તેનું સેમ્પલ લેવામાં આવ્યું છે. આ સેમ્પલ તપાસ માટે અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યું છે. યુવાનનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે યુવકની અંદર કોરોના વાયરસ( coronavirus )ના પોઝિટિવ લક્ષણો છે કે નહીં.
સ્વાઈન ફ્લૂથી બેના મોત
બીજી તરફ શહેરમાં સ્વાઈન ફ્લૂ( swine flu )એ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા ચાર દિવસમાં સ્વાઈન ફ્લૂ( swine flu )નો ત્રીજો કેસ નોંધાવા પામ્યો છે. જે પૈકી બે દર્દીઓનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. રવિવારના રોજ પડધરીની મહિલા દર્દીનું મોત સ્વાઇન ફ્લૂ( swine flu )ના કારણે થયું હતું. ગઈકાલે એટલે કે સોમવારના રોજ ઉપલેટાના વૃદ્ધાનું સ્વાઈન ફ્લૂ( swine flu )ના કારણે મોત નિપજ્યું છે.
24 કલાકમાં શહેરમાં સ્વાઈન ફ્લૂથી 2 લોકોના મોત
રાજ્યમાં કોરોનાના કારણે હાહાકાર મચ્યું છે. ત્યારે હવે રાજકોટમાં સ્વાઈન ફ્લૂ( swine flu )ની અસર જોવા મળી રહી છે. સ્વાઈન ફ્લૂ( swine flu )થી વધુ એક વ્યક્તિનું મોત થયું છે. ઉપલેટાથી મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં સ્વાઈન ફ્લૂ( swine flu )થી 2 લોકોના મોત થયા છે.
જામનગરમાં એક સ્વાઈન ફ્લૂનો કેસ
જામનગરમાં વધુ એક સ્વાઈન ફલૂ( swine flu )નો કેસ પોઝીટીવ આવ્યો છે.ત્યારે દર્દીને હાલ જીજી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં સારવાર માટે રાખવામાં આવ્યો છે