વડોદરામાં એકસાથે ભેગા મળીને નમાઝ પડતા લોકોની ધરપકડ કરવામાં આવી છે. વારંવારની ચેતવણી બાદ પણ લોકો ભેગા થાય છે ત્યારે તંત્ર પણ આ બાબતમાં કડક પગલા લઈ રહ્યુ છે. મંદિર હોય કે, મસ્જિદ જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક પગલા લેવાઈ રહ્યા છે. પરંતુ લોકો પણ વારંવાર એક સાથે ભેગા મળીને ઉલ્લઘંન કરે છે.
વડોદરામાં નમાઝ અદા કરતા લોકોની પોલીસે કરી ધરપકડ,
એક સાથે 7 લોકો નમાઝ અદા કરતા હતી ધરપકડ
મસ્જિદમાં વહેલી સવારે એકઠા થયા હતા
જાહેરનામા ભંગ અંગે ફરિયાદ નોંધી કરાઇ ધરપકડ
વડોદરામાં નમાઝ અદા કરતા લોકોની પોલીસે ધરપકડ કરી છે. એક સાથે ભેગા મળીને 7 લોકો નમાઝ અદા કરતા ધરપકડ હતી. વહેલી સવારે તમામ લોકો મસ્ઝિદમાં એકઠા થયા હતા. વારંવારની જાહેરાત બાદ પણ જાહેરનામાનો ભંગ થવાને કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ પણ પોલીસે મંદિરમાં એકઠા થયેલા લોકો સામે પગલા લીધી હતા.
રાજ્યના પોલીસ વડા રોજ અપાવે છે યાદ
જાહેરનામાં અંગે પોલીસ વડા શિવાનંદ ઝા કડક શબ્દોમાં રોજ યાદ અપાવે છે કે, કોઈ પણ પ્રસંગ હોય જો લોકો એકઠાં થશે તો તંત્ર પગલા જરૂર લેશે. ચાહે એ ધાર્મિક પ્રસંગ જ કેમ નથી.