રાજ્ય ભર માં કોરોના ની સ્થિતિ વણસી રહી છે અને રોજે રોજ કોરોના ના કેસ માં વધારો થઈ રહ્યો છે હોસ્પિટલ માં કોરોના ના દર્દી માટે બેડ ઘટી રહ્યા છે, ત્યારે તાલુકા કક્ષાએ એ કોરોનાના દર્દી માટે ઓક્સીઝન સાથે સારવાર મળી રહે તે માટે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે જસદણના આટકોટ રોડ ઉપર દેવસીભાઈ છાયાણીની ફેકટરીમાં 100 બેડ નું કોવિડ સેન્ટર ઉભું કર્યું છે.
50 બેડમાં ઓક્સિજનની પણ સગવડ
કોવિડ સેન્ટરમાં 50 જેટલા બેડ માં.ઓક્સીઝન સાથે બનાવવામાં આવ્યા છે જેમાં કોરોનાના દર્દીને તમામ જાત ની સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવા માં આવી છે, અહીં ઊભી થયેલ કોવિડ સેન્ટર જસદણના ભૂતપૂર્વ ધારાસભ્ય ડોકટર ભરતભાઇ બોધરા અને એમ.એમ યાનસ ગ્રૂપ દ્વારા કરવામાં આવેલ છે. આ કોવિડ સેન્ટર ને ભાજપ ના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા મુકવા આવ્યું હતું.
કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા, મિનિસ્ટર કુંવરજી બાવાળીયા સહિત ભાજપના અનેક નેતા ઓ હાજર રહ્યા હતા, જોવા જઈ એ તો અહીં શરૂ થયેલ કોવિડ સેન્ટર આમ સારવાર સાથે દર્દીને ચા નાસ્તો જમવા રહેવાની તમામ સુવિધા મફત આપવા આવી રહી છે, C R પાટીલે અહીં આજે શરૂ થયેલ સેવાકીય યજ્ઞને વખાણીયો હતો અને સાથે સાથે જો આવીજ રીતે કોરોના સામે સેવાકીય કોવિડ સેન્ટર શરૂ થશે તો કોરોનાને ઝડપથી હરાવી શકીશું એવું કહ્યું હતું.
ધાનાણીને સેવાકીય હવનમાં હાડકા નાખનાર ગણાવ્યા
સાથે સાથે કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એ સરકાર વિરોધ કરેલ પિટિશનનો જવાબ આપવા નું ટાળ્યું હતું અને પરેશ ધાનાણીને સેવાકીય હવનમાં હાડકા નાખનાર ગણાવ્યા હતા તેને નજર અંદાજ કરી ને સેવાકિય પ્રવૃત્તિ શરૂ રાખવા કહ્યું હતું