ગુજરાતમાં કોરોનાની મહામારીએ માઝા મૂકી છે ત્યારે નેતાઓ રાજકારણ કરવામાં અને આક્ષેપ કરવામાંથી ઉંચા નથી આવી રહ્યા. ગઈકાલે ભાજપના યુવામોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે મીડિયાને TRP વધારવા સરકાર વિરોધમાં સમાચારો બતાવતી હોય તેવા મતલબની ટ્વીટર પર પોસ્ટ કરી હતી પછીથી તેનો વિરોધ થતાં પોસ્ટ ડિલિટ કરીને મીડિયાને સન્માન આપતી પોસ્ટ મૂકી હતી.
ઋત્વિજ પટેલના ટ્વિટનો મામલો
ભાજપ પ્રવક્તાએ મીડિયાને આપ્યો સાથ
ઋત્વિજ પટેલે ટ્વિટ ડિલીટ કર્યુ
ઋત્વિજ પટેલે પહેલા કરેલી ટ્વીટ ડિલિટ કરીને મીડિયાની માફી માંગી હતી. આ અંગે ભરત પંડ્યા ઋત્વિજ પટેલના ટ્વિટ મામલે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ નિવેદન અપ્યુ હતુ. આ ટ્વિટથી મીડિયાના મિત્રોની જેમ મને પણ આઘાત લાગ્યો હતો. ભાજપ અને સરકારે હમેશા મીડિયા ફ્રેન્ડલી રહ્યા છીએ. જીતુ વાઘાણીએ ઋત્વિજ પટેલ સાથે વાત કરી હતી. ઋત્વિજ પટેલે ટ્વિટને ડિલીટ કરીને દિલગીરી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયાના કન્વીનરને ભૂલ ન થાય તેવી તાકીદ કરાઈ. CM વિજય રૂપાણીએ પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી. કોરોના સામે લડાઈને લઈને અમે મીડિયાને બિરદાવીએ છીએ. અમે જનતાની સાથે છીએ, અમે મીડિયાની સાથે છીએ.
શું છે મામલો?
ઋત્વિજ પટેલે ગઈકાલે ટ્વીટ કરીને વિવાદ છેડ્યો હતો. મીડિયાને વેચાઈ ગયેલ કહીને સમગ્ર મીડિયા ઉપર આક્ષેપ કર્યો હતો. જો કે બાદમાં પોતે જ આ ટ્વીટ ડિલિટ કરી દીધી હતી.
ઋત્વિજ પટેલે પહેલા કરેલી ટ્વીટ ડિલિટ કરીને મીડિયાની માફી માંગી હતી
ઇલેક્ટ્રોનિક મીડિયા ને કે કોઈ પણ મીડિયા ને ટાર્ગેટ કરવાનો કોઈ ઈરાદો નથી, મીડિયા એ લોકશાહી નો ચોથો આધારસ્તંભ કહેવાય છે.મીડિયા હંમેશા સકારાત્મક રહ્યું છે. હું વ્યક્તિગત રીતે મીડિયા ને ખૂબ જ સમ્માનપૂર્વક જોવું છું છતાં પણ કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીર છું.
— Dr. Rutvij Patel #AarogyaSetu 📲 (@DrRutvij) May 25, 2020