ગુજરાતમાં ટિકિટકાંડને કારણે કોંગ્રેસ ભાજપમાં રાજનીતિની જબ્બર હોડ ચાલી છે. શ્રમિકોની મજબૂરીનો મહત્તમ લાભ ઉઠાવીને પણ રાજનીતિ ન ચૂકતા નેતાઓ જશ ખાંટવાની એક પણ તક જવા દેવા નથી માંગતા સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રમિકોને વતન મોકલવા મામલે રાજકારણમાં અફરાતફરી મચી ગઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પરપ્રાંતીયોને વતનમાં મોકલવા પર રાજકારણ
સુરેન્દ્રનગર જિલ્લાના બિનગુજરાતીઓને વતનમાં મોકલવા પર રાજકારણ ગરમાયું છે. કોરોનાના કપરા કાળમાં રાજકીય આગેવાનોની શ્રેય ખાટકી લેવા હોડ લાગી છે. અને શ્રમિકોને વતન મોકલવાના ખર્ચની રકમ આપવા કોંગ્રેસના ધારાસભ્ય ધમપછાડા કરી રહ્યાં છે. શ્રમિકોના થર્મલ અને ટિકિટના નાણા ઉઘરાવ્યા બાદ ધારાસભ્ય જાગ્યા અને રૂ.7.80 લાખનો ચેક લઈને મામલતદાર કચેરી પહોંચ્યા.
જો કે મામલતદારે ખર્ચના રકમનો ચેક ન સ્વિકારતા વિવાદ સર્જાયો છે. વહિવટી તંત્રએ ઉઘરાવેલા નાણા ગેરકાયદેસર રીતે લેવાયાના આક્ષેપ કર્યા છે. અને બિનગુજરાતીઓ પાસેથી લીધેલી રકમ શ્રમિકોને પરત આપવા ધારાસભ્યની માગ કરી છે.
નૌશાદ સૌલંકીએ ચીમકી ઉચ્ચારી છે કે રકમ પરત નહી આપે તો ટ્રેન આગળ સૂઈ જઈને વિરોધ કરીશું. મામલતદારે ચેક ન સ્વિકારતા કલેક્ટરકચેરીએ નૌશાદ સોલંકીએ ધરણા કર્યા. તંત્ર દ્વારા શ્રમિકો પાસેથી રૂ.650 ઉઘરાવામાં આવી રહ્યાં છે. જેને પરત કરવા નૌશાદ સોલંકીએ ધરણા કર્યા છે.