ભાજપના સાત ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે અરવિંદ રૈયાણી હજુ શંકાસ્પદ છે એટલે કે સાત અને એક અડધો એમ ભાજપને પોતાની જ સભાઓનું સાડાસાતી પરીણામ મળી રહ્યું હોવાની લોકોમાં ચર્ચા ઉઠી રહી છે.
સુરતમાં વધુ એમ ધારસભ્યને કોરોનો પોઝીટીવ
ભાજપના ધારસભ્ય કાંતિ બલર થયા કોરોનાગ્રસ્ત
ધારાસભ્યને તેમના આવાસ પર હોમ કોરોન્ટાઇન કરાયા
ગુજરાતમાં ભાજપની સાડાસાતી બેઠી છે. એક પછી એક નેતા કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. સામાન્ય લોકોને નિયોમનું પાલન કરવાતી ખુદ ભાજપ સરકારના નેતાઓ ભાન ભૂલીને ગરબે રમે છે તો વળી મેળાવડાંઓમાં એકઠા થઈને મહાલતી વખતે કોરોનાની મહામારીને અનદેખી કરનારા ભાજપના નેતાઓને આ ભૂલ ભારે પડી રહી છે. ભાજપના સાત નેતા કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે અરવિંદ રૈયાણી હજુ શંકાસ્પદ છે એટલે કે સાત અને એક અડધો એમ ભાજપને પોતાની જ સભાઓનું સાડાસાતી પરીણામ મળી રહ્યું હોવાની લોકોમાં ચર્ચા ઉઠી રહી છે.
આજે ભાજપના સુરતના ધારાસભ્ય કાંતિ બલર કોરોના સંક્રમિત થયા છે. આ સાથે જ 3 દિવસમાં ભાજપના 7 નેતા સંક્રમિત થઈ ચુક્યા છે જ્યારે અરવિંદ રૈયાણીની તબિયત લથડી છે અને તે શંકાસ્પદ ગણાઈ રહ્યા છે.
3 દિવસમાં 7 નેતા કોરોનાગ્રસ્ત
ત્રણ દિવસના ભાજપના 7 નેતાઓ કોરોનાનો શિકાર બન્યા છે. અત્યાર સુધીમાં 18 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ કેન્દ્રીયમંત્રી સંક્રમિત થઈ ચૂક્યા છે. ભાજપના નેતા અને ભારતના ગૃહપ્રધાન અમિત શાહ કોરોનાનો શિકાર બની ચુક્યા છે જ્યારે એક વખતના વડાપ્રધાન મોદીની હરોળના ગણાતા નેતા શંકરસિંહ વાઘેલા પણ કોરોના સંક્રમિત થયા હતા. જયારે આજે વેરાવળ તાલુકા ભાજપ મહામંત્રી વિજયસિંહ પરમારનું કોરોનાના કારણે નિધન થયું છે. તેઓ છેલ્લા 10 દિવસથી જૂનાગઢ ખાતે સારવાર લઇ રહ્યાં હતા.
સુરત ભાજપના ધારાસભ્ય કાંતિ બલરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી પછી સુરેન્દ્રનગરના ભાજપના નેતાને પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશ મકવાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેની સાથે સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી અને પ્રદેશ યુવા મોરચાના કોષાધ્યક્ષ સત્યદિપસિંહ પરમાર પણ કોરોનાગ્રસ્ત થયા હતા. સવારે બન્નેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બપોરે જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ કોરોના રિપોર્ટ પોઝિટિવ પણ પોઝિટિવ આવ્યો હતો. અને ભાજપના અમદાવાદના સાસંદ કિરીટ સોલંકી પણ પોઝિટિવ આવ્યા છે. તેમજ ધર્મેન્દ્રસિંહ ઉર્ફ હકુભા જાડેજા કેબીનેટ કક્ષાના મંત્રી પણ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.
3 દિવસમાં કયા 7 નેતા કોરોનાગ્રસ્ત
હકુભા જાડેજા (ધર્મેન્દ્રસિંહ ) મંત્રી
ભાજપના સાંસદ કિરીટ સોલંકી
સુરતના ધારાસભ્ય કાંતિ બલર
હર્ષ સંઘવી સુરતની મજૂરા બેઠકના ધારાસભ્ય
જગદીશ મકવાણા સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના મહામંત્રી
દિલીપ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપ પ્રમુખ
સત્યદિપસિંહ પરમાર ભાજપ પ્રદેશ યુવા મોરચના કોષાધ્યક્ષ
ભાજપના કયા કયા ધારાસભ્ય કોરોના ગ્રસ્ત
સુરતના ધારાસભ્ય કાંતિ બલર, ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી હાલ કોરોના ગ્રસ્ત છે. ભાજપના ધારાસભ્ય નિમાબેન આચાર્ય પણ હાલ કોરોનાગ્રસ્ત છે અને સારવાર હેઠળ છે. ભાજપના સંસદ રમેશ ધડુક સભ્ય સારવાર હેઠળ છે. સંસદ સભ્ય ડો.કિરીટ સોલંકીને હાલ હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. હકુભા જાડેજા (ધર્મેન્દ્રસિંહ ) કેબિનેટ મંત્રી કોરોનાગ્રસ્ત થયા છે.
ભાજપના કયા નેતાએ કોરોનાને હરાવ્યો?
ધારાસભ્ય કિશોર ચૌહાણ, બલરામ થાવાણી, જગદીશ પંચાલ, કેતન ઈનામદાર, વી.ડી. ઝાલાવાડિયા, પૂર્ણેશ મોદી અને રમણ પાટકરતો રાજ્યકક્ષાના મંત્રી છે.