ભાવનગરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણ અને સરકારી આંકડા છુપાવવાથી લઈને હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે તે અંગે ભાવનગર મનપા કમિશનર સાથે VTV એ સીધી વાત કરી હતી.
ભાવનગરમાં તંત્ર દ્વારા કોરોના મૃત્યુઆંક છૂપાવવાનો મામલો
મનપા કમિશનરની VTV સાથે ખાસ વાતચીત
એમ.એ.ગાંધીનું કોરોના મૃત્યુઆંક મામલે નિવેદન
ભાવનગર શહેર માં રસાલા કેમ્પ વિસ્તારમાં સૌથી વધુ 11 કેસો આવતા મનપાનું તંત્ર એલર્ટ બન્યું છે અને આજ સવારથી આ વિસ્તારને સીલ કરીને આરોગ્યની તપાસ માટે ધમધમાટ સારું કર્યો છે રસાલા કેમ્પ વિસ્તારમાં 11 શેરીઓમાંથી 8 શેરીઓમાં 11 જેટલા પોઝીટીવ કેસો નીકળયા છે. રસાલા કેમ્પ વિસ્તારમાં રહેતા તમામ લોકોના ઘરોમાં આજથી લોકોના આરોગ્યની તપાસ સારું કરવામાં આવી છે.
3000 ઘરો માં રહેતા 15000 લોકોની કરાશે આરોગ્યની તપાસ
મનપાની 7 ટિમો દ્વારા સવારના 7 વાગ્યાથી તપાસ સારું કરવામાં આવી છે રસાલા કેમ્પ ભાવનગરમાં સૌથી મોટું હોટ સ્પોટના બને તે માટે કમિશ્નર દ્વારા આ પગલાં લેવામાં આવ્યા છે. અહીં 3000 ઘરો માં રહેતા 15000 લોકોની કરાશે આરોગ્યની તપાસ કરવામાં આવનાર છે.
આંકડા અંગે શું કહ્યુ કમિશનર M.A ગાંધીએ?
વીટીવીએ આજે ભાવનગર કમિશનર એમ એ ગાંધી સાથે કોરોનાના વધતા કેસો તેમજ તંત્ર આંકડા છુપાવી રહ્યું છે અને હોસ્પિટલોમાં જગ્યા નથી તે તમામામ બાબતોને લઈને વાતચીત કરી હતી જેમાં કમિશનરે જણાવ્યું હતુ કે તંત્ર કોઈ આંકડો છુપાવતું નથી. જો કે નામ જાહેરના થવાના મામલે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે નામ જાહેર નથી થતા તો લોકો બીકમા રહે તે તંત્ર માટે સારી વાત એકબીજા ને પોઝિટિવ સમજે તો ચેતતા રહેશે.
સરકારી હોસ્પિટલો ફૂલ પણ કંપાઉન્ડના અન્ય બિલ્ડિંગ ખાલી
હોસ્પિટલ ફૂલ ના મામલે કહ્યું સિવિલ અને એમઓયુ કરેલ ખાનગી હોસ્પિટલમા જગ્યા નથી રહી પરંતુ સિવિલના કમાપઉન્ડ મા આવેલ બીજા બિલ્ડીંગોનો હવે કોરોનાના વોર્ડ તરીકે ઉપયોગમા લઈશું અને આઈ.એમ.એ અને ખાનગી તબીબોની સેવા લેવાની પણ તૈયારી છે અને હવે તબીબો ની જરૂરત વધુ પડશેતેવી ચિંતા પણ વ્યક્ત કરી હતી