ગુજરાતમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે ભાવનગરમાં એક ઘટના સામે આવી છે. ભાવનગર સિવિલમાં કોરોના દર્દી મામલે તબીબો અને દર્દીના સગા આમને સામને આવી ગયા હતા અને આખરે આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. આવો જાણીએ શું છે સમગ્ર ઘટના?
મૃતકના પુત્ર સહિત 70 લોકો ઘુસ્યા હતા ICU વોર્ડમાં
મંજુરી વગર હથિયારો સાથે ધસી આવ્યા હતા
સિવિલ સર્જને તમામ ટોળા સામે નોંધાવી ફરિયાદ
ભાવનગર સિવિલમાં કોરોના દર્દીના મોતનો મામલો સામે આવ્યો છે. 2 દિવસ પહેલા સિવિલમાં દર્દીનું મૃત્યુ થયુ હતુ. જેમાં મૃત્યુ બાદ પરિવારે હોબળો મચાવ્યો હતો. મૃતકના પુત્ર સહિત 70 લોકો ICU વોર્ડમાં ઘુસ્યા હતા. દર્દીના સગા મંજુરી વગર હથિયારો સાથે ધસી આવ્યા હતા. સિવિલ સર્જને તમામ ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.
રાજ્યમાં આજે કોરોનાના 1,034 કેસ નોંધાતા કુલ આંકડો 67,811 પર પહોંચ્યો છે. આજે 917 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 50,322 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 73 ટકા છે. તો આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ, વડોદરા અને વલસાડમાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ સાજા થયા છે. રાજ્યમાં હવે 14,905 દર્દીઓ સારવાર હેઠળ છે.
કોરોનાથી કેટલા મોત?
રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 27 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં 2,584 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. મહત્વનું છે કે, ભારતમાં કોરોના વાયરસના કેસ 19 લાખને પાર થઇ ચૂક્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં દેશમાં 40 હજારથી વધુ દર્દીઓના મોત થયા છે.
હાલ સુરતમાં કોરોનાની શું છે સ્થિતિ?
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આજે સુરતમાં 238 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 184 અને સુરત જિલ્લામાં 54 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 14,546 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 287 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 10,234 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 9 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 478 દર્દીના મૃત્યુ થયા છે.
હાલ અમદાવાદમાં કોરોનાની શું છે સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 151 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 137 અને અમદાવાદ જિલ્લામાં 14 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 27,434 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 117 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 22,152 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 5 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1623 પર પહોંચ્યો છે.
રાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા આજના કોરોના વાયરસના કેસની વિગત