ભાવનગરમાં તબલીગી સમાજમાં જઈને આવેલા લોકો કોરોનાના વાહક બન્યા છે જેને લીધે આખુ વિસ્તાર કોર્ડન કરીને ક્વોરોન્ટાઈન કરાયો છે ત્યારે લોકો સહકાર આપવાને બદલે પોલીસની બેરીકેટ તોડીને બહાર નીકળી રહ્યા છે. તબલીગી જમાતમાં જઈ આવ્યા પછી ભાવનગરમાં એક સાથે પાંચ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને એકનું મોત પણ થઈ ગયુ હતુ. તેમ છતાં લોકો ક્વોરન્ટાઈન નથી થઈ રહ્યા.
ચેપ ફેલાવાથી પોઝિટિવ કેસમાં થઈ રહ્યો છે વધારો
પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો
લોકો લગાવાયેલા બેરિકેટ હટાવી નીકળી રહ્યાં છે બહાર
ભાવનગર આજે જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યો તે વિસ્તારને પોલીસે કોર્ડન કર્યો છે. આ વિસ્તારમાં લોક ડાઉન નો કડક અમલ થતો નથી અને તેના કારણે ચેપ ફેલાવાથી પોઝિટિવ કેસમા વધારો થઈ રહ્યો છે. પોલીસે આ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. આ વિસ્તારમાં મુકાયેલ બેરીકેટો પણ કેટલાક લોકો હટાવી બહાર નીકળી રહયા છે.
શું કહ્યુ હતુ આરોગ્ય સચિવ જયંતિ રવિ
ભાવનગર ખાતે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જે પોઝિટિવ દર્દી છે તેને દિલ્હીથી આવેલા દર્દીથી ચેપ લાગ્યો હતો. જેના પગલે ભાવનગરમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 7 થયો છે. જેમાંથી બેના અગાઉ મોત થઈ ચૂક્યું છે.
આ સાથે તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે કુલ 88 કેસમાંથી 66 જેટલા દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 3 દર્દીઓને વેન્ટિલેટર પર રખાયા છે. તેમણે કહ્યું હતું કે કુલ 1714 રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે તે રાહતના સમાચાર છે.
30મી માર્ચે ભાવનગરમાં એક સાથે 5 કેસ પોઝિટિવ નોંધાયા હતા
ભાવનગર 24 કલાકમાં કોરોનાના 5 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ થયુ દોડતુ થયું હતુ. ભાવનગર શહેર ના 4 અને જેસર પથક નો 1 મળી કુલ 5 કેસ પોઝિટિવ નીકળતા ખળભળાટ મચી ગયો હતો. અગાઉ ભાવનગરમાં એક મોત નોંધાયુ હતુ જ્યારે આજે ફરી એકનું મોત થતાં ભાવનગરમાં કોરોનાથી મોતનો આંકડો 2 ઉપર પહોંચ્યો હતો. આ પોઝિટિવ આવનાર દર્દીઓ તબલીગી જમાતના દિલ્હીના મરકઝમાં જઈને આવ્યા હતા. અગાઉ આમાંથી જ એકનું કોરોનાથી મોત થયું હતુ.