ગુજરાતમાં કોરોનાવાયરસનો ભરડો વધુને વધુ ભીંસાઈ રહ્યો છે ત્યારે ભાવનગરમાં લોકલ ટ્રાન્સમિશનથી ફેલાયેલા કોરોના વાયરસના છેડા દિલ્હી પહોંચ્યા છે. દિલ્હી તબલીગી જમાતનું કનેક્શન બહાર આવ્યું છે. આ અંગે નાયાબ મુખ્યમંત્રી અને રાજ્યના પોલીસ વડા પણ જાણકારી આપી ચુક્યા છે. મુખ્યમંત્રીને આ અંગે જાણ કરાઈ છે. 13 લોકો દિલ્હી આ ધાર્મિક સંમેલનમાં ભાગ લેવા ગયા હતા જેમાંથી એકનું કોરોનાથી મોત થઈ ચુક્યુ છે.
દિલ્હીનું સંકટ ગુજરાત પહોંચ્યુ? ગુજરાતના આ શહેરના લોકો તગલઘી જમાતમાં સામેલ હતા!
ભાવનગરના દર્દીનું કોરોનાથી મોત
IG અશોક યાદવે આપી મહત્વની જાણકારી
દિલ્હી તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાવનગરના લોકોએ ભાગ લીધો હતો. 13 લોકો કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલા 1 વૃદ્વનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો. કોરોના પોઝિટીવ વૃદ્વનું મોત નિપજ્યું છે. 4 લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરાયા છે. 1 વ્યક્તિને સરકારી ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે.
IG અશોક યાદવે આપી જાણકારી
દિલ્હી તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાવનગરના લોકો હોવાનું સામે આવ્યું છે. જમાતના કાર્યક્રમમાં ભાગ લેવા ભાવનગરના લોકો પણ પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા 1 વૃદ્વનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જોકે કોરોના પોઝિટિવ વૃદ્વનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અન્ય 4 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યાં છે. 1 વ્યક્તિને સરકારી ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે. ત્યારે વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે.
દિલ્હી તબલીગી જમાતના કાર્યક્રમનો મામલે IG અશોક યાદવે મહત્વની જાણકારી આપી છે. ભાવનગરના 13 અને બોટાદના 4 લોકો કાર્યક્રમમાં ગયા હતા. ભાવનગર રેન્જ આઈજીએ તપાસ માટે સીટની રચના કરી કરી છે. જેમાં ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શું કહ્યુ DGPએ?
દિલ્લીમાં તબલીગી જમામ મુદ્દે DGPનું નિવેદન આવ્યુ હતુ કે, આ બાબતે અમે જાણીએ છીએ મુખ્યમંત્રીને જાણ કરી છે. તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનારા કેટલાક લોકો ભાવનગરના હોવાનું સામે આવ્યું છે. આ અંગે અમને બાતમી મળી હતી.
શું કહ્યુ નીતિન પટેલે?
દિલ્હીમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં એકઠા થયેલા લોકોનો મામલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીનું મોટુ નિવેદન આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતુ કે, ગુજરાતના એક શહેરમાંથી કેટલાક લોકો દિલ્લીના કાર્યક્રમમાં ગયા હતા. જ્યાંથી તબલીગી જમાતના કાર્યક્રમનું ગુજરાત કનેકશન પણ સામે આવ્યું હતુ. આરોગ્ય વિભાગ અને પોલીસ તપાસ કરી રહી હોવાનો દાવો કર્યો હતો. અફરાતફરી ન ફેલાય તે માટે સરકાર સાવચેતી રાખી રહી છે. આરોગ્ય વિભાગને તપાસમાં ગુજરાતના નાગરિકો સહયોગ આપે તેવી અપીલ કરી હતી.
શું છે દિલ્હીની તબલીગી જમાતનો મામલો
તબલીગી જમાત ઇસ્લામિક મિશનરી આંદોલન છે. જેની સ્થાપના 1926માં કરાઇ હતી અને તેના દુનિયાભરમાં સભ્યો છે. આ કાર્યક્રમમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, નેપાળ, મ્યાનમાર, કિર્ગિસ્તાન અને સાઉદી અરબથી તબલીગી સભ્યો આવ્યા હતા. કાર્યક્રમમાં અફઘાનિસ્તાન, અલ્જીરિયા, જિબૂતી, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, ફીજી, ફ્રાન્સ અને કુવૈતથી સદસ્યો આવ્યા હતા.
દિલ્હીમાં થયા છે 7 લોકોના મોત
કોરોના વાયરસની મહામારી વચ્ચે દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં બનેલા મરકઝમાં થયેલા ધાર્મિક કાર્યક્રમથી સાત લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. જ્યારે 300થી વધારે લોકોનો કોરોના વાયરસના લક્ષણો બાદ ટેસ્ટ કરાઇ રહ્યો છે. મંગળવારે સવારે તબલીગી જમાતના દિલ્હી મુખ્યાલય એટલે કે નિઝામુદ્દીનને સીલ કરી દેવામાં આવ્યું અને ત્યાં રહી રહેલા 800 લોકોને બસોમાં લઇ જઇને શહેરની અલગ-અલગ જગ્યાએ ક્વારન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું, અત્યાર સુધીમાં ત્યાં રોકાયેલા 24 લોકોના કોરોના વાયરસ પોઝિટિવ હોવાની પુષ્ટી થઇ ચૂકી છે. સરકારી જાહેરાત બાદ પણ આ કાર્યક્રમ ચાલુ રખાયો હતો અને માહિતી છુપાવાઈ હતી જે ગંભીર ગૂનો છે.