કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં વધુ એક જિલ્લામાં સારા સમાચાર આવ્યા છે, નોંધનીય છે કે, રાજ્યનો ભરૂચ જિલ્લો કોરોના મુક્ત થયો છે. અંકલેશ્વરની કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા 3 દર્દીઓ સાજા થતાં તેમનો હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર જિલ્લામાં 25 દર્દીઓ સાજા થયાં છે. જ્યારે 2 લોકોના મોત થયાં છે.
કોરોનાને લઈ ભરૂચ જિલ્લા માટે સારા સમાચાર છે. ભરૂચમાંથી કોરોનાના 3 દર્દીને રજા આપવામાં આવી છે. અંકલેશ્વરની કોવિડ હોસ્પિટલમાંથી 3 દર્દીને રજા અપાઈ છે. તાળીઓના અભિવાદન સાથે દર્દીઓને ઘરે મોકલવામાં આવ્યા હતા.
આપને જણાવી દઈએ કે,ભરૂચ જિલ્લામાં કુલ 27 કેસ નોંધાયા છે. જેમાંથી 2 ના મોત થયા છે. જ્યારે 25 ને રજા આપવામાં આવી છે. ભરૂચ જિલ્લાનો એક પણ દર્દી હાલ સારવાર હેઠળ નથી. જો કે હાલ અમદાવાદના 2 ટ્રક ચાલક જ સારવાર હેઠળ છે.