ગુજરાત ATS પર કોરોનામાં કહેર વરસ્યો છે. ATS ના તમામ અધીકારી-કર્મીઓ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. 2 આરોપી, PI, PSI સહીત કુલ 11 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. ATSના DIG થી માડી તમામ કર્મચારીને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
ATS ના તમામ અધીકારી-કર્મીઓ ક્વોરોન્ટાઈન
2 આરોપી, PI, PSI સહીત કુલ 11 કેસ નોંધાયા
ATSના DIG થી માડી તમામ કર્મચારી હોમ કોરોટાઈન
ગુજરાત ATS પર કોરોનામાં કહેર વરસ્યો છે. ATS ના તમામ અધીકારી-કર્મીઓ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. 2 આરોપી, PI, PSI સહીત કુલ 11 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. ATSના DIG થી માડી તમામ કર્મચારીને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
ગુજરાત ATS કોરોનાગ્રસ્ત આરોપીના સંપર્કમાં
ગુજરાત ATS તાજેતરમાં ભાજપના નેતા ગોરધન ઝડાફિયાની હત્યા કરવા આવેલા શાર્પ શૂટરની ધરપકડ કરી હતી. જે બાદ કોર્ટમાં હાજર થતાં પહેલાં તેનો કોરોના ટેસ્ટ કરાયો હતો જે પોઝિટિવ આવતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શાર્પ શૂટરની ધરપકડ કર્યા પછી, તમામ પોલીસકર્મીઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ દરમિયાન ઘણા પોલીસકર્મીઓને શરદી, ખાંસી અને તાવની ફરિયાદો મળી હતી.
ઓગસ્ટ 19 ના રોજ ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે અમદાવાદના વિનસ હોટલમાંથી ભાજપના નેતા ગોરધન ઝડાફિયાની હત્યા માટે આવેલા શાર્પશુટરની ધરપકડ કરી હતી. છોટા શકિલ દ્વારા દાઉદ ઇબ્રાહિમના કહેવા પર ગોરધન ઝાડાફિયાને મારવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતુ અને કોન્ટ્રાક્ટ કિલરને આ કામ સોંપવામાં આવ્યું હતું.
ATSના 40 જવાનોને હોમ ક્વોરેન્ટાઇન
આ માહિતી મળ્યા બાદ પોલીસે મોડી રાત્રે હોટલ પર દરોડો પાડ્યો હતો અને ઇરફાન શેખ નામનો શાર્પશુટર પકડ્યો હતો. ઇરફાનને પકડવા માટે સમગ્ર ATS અને ક્રાઈમ બ્રાંચ રોકાયેલા હતા. ઇરફાને શેઠ દ્વારા પોલીસ ટીમમાં ફાયરિંગ પણ કર્યું હતું. આવી સ્થિતિમાં, ઇરફાન કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ક્રાઇમ બ્રાંચ અને ATSના 40 જવાનોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે 15, 230 એક્ટિવ કેસ છે. જ્યારે કુલ 2991 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં 89 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.