કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ચીનથી ભારત પરત ફરેલા લોકોને લઇ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપી. તેઓએ કહ્યું કે અત્યાર સુધી કુલ 75 લોકોના સેમ્પલ ટેસ્ટ કરાયા છે. જેને પુણે મોકલવામાં આવ્યા છે. ગુજરાતમાં 64 લોકો ઘરમાં જ ઓર્બ્ઝર્વેશન હેઠળ છે. જેમની તપાસ રોજ હેલ્થ વિભાગની ટીમ કરશે. વુહાનથી આવેલામાંથી 1 કેસ આઇસોલેટ કરવાની સૂચના આપવામાં આવી છે.
કોરાના વાયરસને લઈને તંત્ર એલર્ટ
75 લોકોવા લેવાયા છે સેમ્પલ
રાજ્યમા 64 લોકો ઓર્બ્ઝર્વેશન હેઠળ
હજુ સુધી ગુજરાતમાં કોઇ પોઝિટિવ કેસ નોંધાયો નથી. પરંતુ અત્યાર સુધી કુલ 3 કેસ શંકાસ્પદ દેખાયા છે. હિંમતનગર, મહેસાણા અને જામનગરમાં એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. જો કે મેડિકલ ચેકઅપ કરતા કોઇ લક્ષણ નથી. સાથેજ આજે ખાસ વિમાનથી વુહાનથી 324 લોકોને ભારત પરત લવાયા છે. જો કે 324માંથી ગુજરાતના લોકો વિશે માહિતી મળી નથી. ગત રોજ ગઇકાલે 71 લોકો ચીનથી આવ્યા હતા. ડિસેમ્બરથી અત્યાર સુધીમાં ચીનથી 1027 લોકો આવ્યા છે. ત્યારે તમામ લોકોની ચકાસણી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે.