અરવલ્લીમાં કોરોનાથી મૃત્યુ પામેલી મહિલાનો મૃતદેહ ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે...વાત્રક કોવિડ હોસ્પિટલમાં મહિલાનો મૃતદેહ ગુમ થતા પરિવારજનોએ હોબાળો કર્યો હતો.
અરવલ્લીમાં કોરોનાથી મૃત્યુ પામેલી મહિલાનો મૃતદેહ ગુમ
વાત્રક કોવિડ હોસ્પિટલમાંથી મૃતદેહ બદલાયાનો આક્ષેપ
ડેમાઇના પરિવારે કર્યા હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ
ડેમાઇના પરિવારે હોસ્પિટલમાંથી મૃતદેહ બદલાયાનો આક્ષેપ કર્યો છે. હોસ્પિટલ દ્વારા પરિવારને અન્ય મહિલાનો મૃતદેહ સોંપતા ભાંડો ફૂટ્યો હતો. જો કે પરિવારે અન્ય મહિલાનો મૃતદેહ હોસ્પિટલને પરત કર્યો છે.
આ સમગ્ર મામલે કોવિડ હોસ્પિટલના સત્તાધીશો ચૂપકીદી સેવી રહ્યા છે. આથી મૃતક મહિલાનો પરિવાર બાયડ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આપને જણાવી દઈએ કે, બુધવારે કોવિડ હોસ્પિટલમાં મહિલાને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યું થયું હતું.
શું કહે છે પરિવાર?
પંચાલ કમલેશ ભાઈ કહે છે કે, ગઈકાલે ડેમાઇથી અમે મારી માતાને અહીં કોરોનાની સારવાર માટે લાવ્યા હતા. આજે ફોન આવ્યો કે, તમારી માતાનું મૃત્યુ થયુ છે અમે લેવા આવ્યા અમે અમારી મૃતદેહને સ્મશાને લઈ ગયા અને જોયુ તો તે મારી માતા નહતો પણ બીજી જ કોઈ વ્યક્તિ હતી. અમે મૃતદેહ હોસ્પિટલને પરત કર્યો પણ અમારી માતાનો કોઈ અતો પતો જ નથી, ન રજિસ્ટરમાં નામ છે ન કોઈ બીજા ચોપડે. હું શુ કરુ? ક્યાં જઉં
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,152 કેસ નોંધાયા છે તો 81 લોકોની મોત છેલ્લા 24 કલાકમાં નોંધાઈ છે. અને 3,023 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 32,6394 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 73 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 81 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5076 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 267 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 44,298 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2631 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 41 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1551 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 313 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 348 કેસ, જ્યારે ગ્રામ્યમાં 138 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 698 કેસ અને ગ્રામ્યમાં 64 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...