ગુજરાતમાં કોરોનાના કેસ વધતા વેપારીઓ અને ગારમડાઓમાં એક પછી એક સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે અમરેલીના વેપારીઓએ પણ મહત્વનો નિર્ણય લીધો છે.
અમરેલીમાં વેપારીઓનો સ્વૈચ્છિક બંધનો નિર્ણય
18થી 25 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી બંધનો નિર્ણય
વેપારીઓનો સ્વૈચ્છિક બંધમાં જોડાવા નિર્ણય
અમરેલીમાં વેપારીઓનો સ્વૈચ્છિક બંધનો નિર્ણય લીધો છે. વેપારી મહામંડળ, ડિસ્ટ્રીકટ COC સહિતના સંગઠનો દ્વારા નિર્ણય મહત્વનો નિર્ણય લેવમાં આવ્યો છે.
સમય અને તારીખ કર્યા નક્કી
વેપારીઓએ સ્વૈચ્છિક બંધમાં જોડાવા નિર્ણય જાહેર કર્યો છે અને આવશ્યક ચીઝ વસ્તુઓની દુકાનો માટે પણ સમય નક્કી કરવામાં આવ્યો છે. 18થી 25 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી બંધનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં કોરોનાની ખતરનાક સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 9,541 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 91 લોકોના મોત નિપજ્યા છે. અને 3,783 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,33,564 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 91 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 91 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5267 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 304 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 55,398 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 3241 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 62 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1720 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 435 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 369 કેસ, જ્યારે ગ્રામ્યમાં 210 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 412 કેસ અને ગ્રામ્યમાં 82 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
મેટ્રો શહેર સિવાય આ પાંચ જિલ્લાઓએ ચિંતા વધારી
હવે જ્યારે કોરોના મેટ્રો શહેરને વટાવીને નાના ગામ અને તાલુકા સુધી પહોંચી ગયો છે ત્યારે અમદાવાદ અને સુરત સિવાયના અન્ય 5 એવા જિલ્લાઓ છે જેમણે ચિંતા વધારી છે. જેમાં ખાસ કરીને મહેસાણામાં 262, ભરૂચમાં 235, જામનગરમાં 194, બનાસકાંઠામાં 176 અને નવસારીમાં 148 કેસ નોંધાયા હતાં. જેના કારણે હવે જિલ્લાઓમાં પણ ચિંતા વધી છે. પાટણમાં પણ દિવસેને દિવસે હાલત ખરાબ થઈ રહી છે. પાટણ જિલ્લામાં આજે 147 કેસ નોંધાયા હતાં.