ગુજરાતમાં કોરોનાના હોટસ્પોટ અમદાવાદમાં કોરોના સંકટ સામે લડવા માટેની તૈયારી અને ફરજિયાત માસ્ક સહિતની બાબતોની જાણકારી માટે આજે વિજય નેહરાએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે શહેરની હાલની પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો અને અમદાવાદીઓનો આભાર માન્યો હતો. અમદાવાદમાં ઘટી રહેલા કોનાના કેસ વિશે પણ રજૂઆત કરી હતી. જો કે તેમણે જણાવ્યું હતુ કે હજુ આપણે સતર્ક રહેવાની જરૂર છે. કેસોમાં ફરીથી ઉછાળો ન આવે એ માટે સાવચેતી રાખવી જ પડશે.
બફર ઝોનમાં 24 હજાર લોકોની તપાસ કરાઈ
વહેલી સવારથી શહેરમાં માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે
9 એપ્રિલથી સતત કેસમાં ઘટાડો થઈ રહ્યો છે
AMC કમિશનર વિજય નેહરા કોરોનાને લઇ આપી માહિતી આપી હતી તેમણે જણાવ્યુ હતુ કે, ગઈકાલ સાંજ સુધીમાં કુલ 279 કેસ હતા. 15 કલાકમાં નવા 12 કેસ નોંધાયા છે. નવા 3 કેસ મધ્ય ઝોન અને 7 કેસ દક્ષિણ ઝોનમાં નોંધાયા. અત્યાર સુધી 131 કેસ મધ્ય ઝોનના છે. અમદાવાદમાં કુલ મોતની સંખ્યા 13 થઈ છે.
અમદાવાદમાં મોટાપાયે ટેસ્ટિંગ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 5982 સેમ્પલો લેવામાં આવ્યા છે. અમદાવાદનું ટેસ્ટિંગ વિશ્વ લેવલે પહોંચ્યું છે. બફરઝોનમાં 13 ચેકપોસ્ટ પર સતત સ્ક્રિનિંગ ચાલી રહ્યું છે. શહેરભરમાં સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે.
બફર ઝોનમાં 24 હજાર લોકોની તપાસ કરાઈ
ગઈકાલે 24 કલાકમાં 94, 244 ઘરોમાં સર્વે કરાયો. 4 લાખથી વધુ લોકોને સર્વેમાં આવરી લેવાયા. 673 ટીમ દ્વારા 24 કલાકમાં ચેકિંગ કરવામાં આવ્યું. 11 લાખ વસ્તીમાં ચેક કરી નવા 500થી વધુ સેમ્પલ લેવાયા. પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા સામે આવે તે જરૂરી. દર્દીઓના સંપર્કમાં આવેલા 2335 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરાયા છે.
વહેલી સવારથી શહેરમાં માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે
વહેલી સવારે 6 વાગ્યાથી નાગરિકો માટે માસ્ક ફરજિયાત કરાયું. શહેરમાં બધા જ લોકો માસ્કના નિયમોનું પાલન કરી રહ્યા છે. અમદાવાદના લોકો ખરેખર અભિનંદનને પાત્ર છે. 96 જેટલી ટીમો શહેરમાં માસ્ક નહીં પહેરનારની તપાસ કરી રહી છે. માસ્ક વગરના અત્યાર સુધી માત્ર 21 કેસ જ નોંધાયા.
9 એપ્રિલથી સતત કેસમાં ઘટાડો થઈ રહ્યો છે
5 દિવસથી સતત શહેરમાં નોંધાયેલા કેસમાં ઘટાડો નોંધાયો છે. 9 એપ્રિલથી સતત કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. કેસ ઘટતા જ રહેશે તે માની લેવાની જરૂર નથી. આવશ્યક સંજોગોમાં બહાર નીકળો તો સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી. નિયમોનું જેટલુ સારુ પાલન થશે પરિણામ એટલુ સારુ આવશે. મહદઅંશે શહેરીજનોનો સાથ-સહકાર મળી રહ્યો છે. લોકોના સાથ-સહકારથી તંત્રનું કામ ચોક્કસ સરળ બની જશે. સામાન્ય નાગરિકોએ ઘરની બહાર નીકળવુ જ ન જોઈએ.