આજે અમદાવાદમાં AMC કમિશ્નર વિજય નેહરાએ શહેરમાં કોરોના સંકટને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે મુખ્ય અને મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે અમદાવાદમાં આજથી ખાસ Covid કૅર સેન્ટર અને હેલ્થ સેન્ટર શરૂ કરાયા છે. આ સૅન્ટર બનાવવાની યોજના દોઢ મહિના અગાઉથી જ વિચારી લેવાઈ હતી તેમ તેમણે જણાવ્યું હતું.
કોરોના વાયરસને લડત આપવા એક્શન પ્લાન રેડી
3 સ્ટેપમાં થશે કામગીરી
કોણ સેવા આપશે.
મનપા કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતુ કે, અમદાવાદમાં મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 86 કેસ નોંધાયા છે. 10 જેટલા લોકોએ કોરોનાને હરાવ્યો છે જેમને રજા આપી દેવામાં આવી છે.
શું કહ્યુ મનપા કમિશ્નરે
AMC કમિશ્નર વિજય નેહરાની મોટી જાહેરાત કરતા કહ્યું કે અમદાવાદમાં સૌપ્રથમ Covid કૅર સેન્ટર શરૂ કરાશે. અમદાવાદમાં 700થી વધુ ટીમો કેસ સામેથી શોધી રહી છે, હાલમાં 1700 જેટલાં લોકો ક્વૉરન્ટાઈન છે. અમદાવાદમાં 13 કોરોના ચૅકપોસ્ટ પર 26350 ટેસ્ટ કરાયા જેમાં 39 શંકાસ્પદ મળ્યાં હતા. અમદાવાદના મધ્યઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા, છેલ્લાં 24 કલાકમાં 62 કેસ નોંધાયા છે.
પહેલા હોસ્પિટલ લઈ જવાશે. ત્યાર બાદ તેમનું પરીક્ષણ કર્યા બાદ તેમને કોઈ બીજા રોગ ન હોય અને સ્ટેબલ હોય તેવા કેસને એ સિસ્ટેમેટીક પોઝિટિવ કેસીસને કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવશે. અત્યાર સુધી પોઝિટિવ કેસ આવતા હતા તે SVP કે સિવિલ હોસ્પિટલમાં લઈ જતા હતા પરંતુ હવે WHO અને ભારત સરકારની ગાઈડલાઈન મુજબ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા જઈ રહી છે. ત્યાં 24 કલાક સ્ટાફ અને એમ્બ્યુલન્સ હાજર રહેશે. કોઈ તકલીફ થાય તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.
હવેથી જ્યારે કોરોનાના કેસ આવશે તો સૌપ્રથમ પહેલા હોસ્પિટલમાં લઈ જવાશે. જો દર્દીને બીજા રોગો નહીં હોય તો તેને કૉવિડ કૅર સેન્ટરમાં લઈ જવાશે. આ ઉપરાંત હોસ્પિટલમાં હશે ત્યારે જો કોઈ લક્ષણો ન દેખાયા તો પણ તેને કૉવિડ કેર સેન્ટરમાં લઈ જવાશે. કોવિડ કેર સેન્ટરમાં ટીમ દ્વારા સારસંભાળ કરાશે.
COVID Care Center
18થી 60 વર્ષથી નીચેની ઉંમરના લોકોને COVID 19 care centerમાં સારવાર આપવામાં આવશે. એટલે કે બાળકો અને સિનિયર સિટિઝન્સને આ સેન્ટરમાં દાખલ નહીં કરાય.
COVID Health Center
કોવિડ હેલ્થ સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે જેમાં ઓક્સિજન સપોર્ટની જરૂર હોય તેવા લોકોને રાખવામાં આવશે.
AMCનો નવતર પ્રયોગ
નવતર પ્રયોગ સાથે AMC નવા COVID care centerમાં જે લોકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યાં તેવા લોકોને વોલિન્ટિયર તરીકે ટીમમાં રખાશે. વિજય નેહરાએ કહ્યું હતું કે સાજા થનારા આ દર્દીઓ સામાન્ય નથી પણ તે વિજેતા છે. તે લોકોએ કોરોનાને હરાવ્યો છે. એટલે તેમની ઈમ્યુનિટી સિસ્ટમ સારી છે એટલે તેવા લોકોનો સામેથી સંપર્ક કરાયો છે એટલે તેઓ સ્વૈચ્છિક સેવા આપવા માટે વાત કરી છે અને તેઓ તૈયાર પણ થયા છે.
વાયરસની શું છે મર્યાદા?
વિજય નેહરાએ કોરોના વાયરસની મર્યાદાની વાત કરતા સમજાવ્યું હતું કે આ વાયરસની એક મર્યાદા છે. તે બેક્ટરિયાની માફક પોતાની મેળે વધી નથી શકતો. આ વાયરસ મનુષ્યની અંદર જઈને જ મલ્ટિપ્લાય થઈ શકે છે. આ વાયરસની મોટામાં મોટી કમજોરી આ વાયરસ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો નથી એટલે માણસ વાહક બનતો નથી.
આ સિવાય તેમણે આંકડાકિય માહિતી પણ આપી હતી.
અમદાવાદમાં 24 કલાકમાં 86 કેસ નવા નોંધાયા
મધ્ય ઝોનમાં છેલ્લા 24 કલાકમાં 62 જેટલા કેસ
મધ્ય ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા
અમદાવાદમાં અત્યાર સુધી 228 કેસ નોંધાયા
શહેરમાં 379 દર્દીઓ સારવાર હેઠળ છે
હવે જ્યાં કેસ નથી ત્યાં પણ તપાસ હાથ ધરાઇ છે
અમદાવાદમાં મૃત્યુ આંક 9 પર પહોંચ્યો
અત્યાર સુધીમાં અમદાવાદમાંથી 10 દર્દી ડિસ્ચાર્જ
મહાઅભિયાનમાં 3637 સેમ્પલ લેવામાં આવ્યા
4696 જેટલા સેમ્પલ અત્યાર સુધી શહેરમાં લેવામાં આવ્યા