ગુજરાતના આરોગ્ય સચિવે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, સીએમ રૂપાણીની અમિત શાહ સમક્ષ અપીલ બાદ ગુજરાતમાં માર્ગદર્શન માટે શ્રેષ્ઠ તબીબોની ટીમ આજે રાત્રે અમદાવાદ આવશે.જેમાં એમ્સ નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજા આજે રાત્રે અમદાોમવાદ પહોંચશે. અમદાવાદને વુહાન બનતુ અટકાવવા કેન્દ્ર કામે લાગ્યુ છે.
કોરોનાને રોકવા અમદાવાદમાં આવ્યા સ્પેશ્યાલિસ્ટ
સીએમ રૂપાણીએ ગૃહમંત્રી અમિત શાહને કરી હતી વિનંતી
અમદાવાદમાં કોરોનાને પહોંચી વળવા માંગી હતી મદદ
આરોગ્ય વિભાગના અગ્ર સચિવે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 7403 પર પહોંચી છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓના આજે મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 449 દર્દીઓના મૃત્યુ થયા છે.
ગુજરાતની કોરોનાની સ્થિતિનો તાગ લેવા દિલ્હી AIIMS ના ડાયરેક્ટર આજે રાતે અમદાવાદ આવશે
એઇમ્સ નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજા આજે શુક્રવાર રાત્રે અમદાવાદ પહોંચશે, આ સાથે જ આ તબીબો આવતીકાલ શનિવારે સિવીલ હોસ્પિટલ કેમ્પસની COVID-19 હોસ્પિટલ અને એસ.વી.પી હોસ્પિટલની મૂલાકાત લેશે. આ બન્ને વરિષ્ઠ તબીબો ગુજરાતમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરતા તબીબો, પેરામેડિકલ સ્ટાફ તેમજ દર્દીઓ સાથે વાતચીત કરીને જરૂરી સલાહ અને માર્ગદર્શન પૂરૂં પાડશે.