આવતીકાલથી અમદાવાદના હોલસેલ માર્કેટ પણ ખુલશે. આવતીકાલથી ચોખાબજાર ખોલવામાં આવશે. આ માર્કેટનું ટર્ન ઓવર અબજોમાં છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી જ્યારે કરિયાણા સહિતની દુકાનોને છુટછાટ આપવામાં આવી છે તો આ દુકાનોમાં હોલસેલ માર્કેટ બંધ હોવાને કારણે વસ્તુઓ ખુટી પડી હતી જેને કારણે ભાવ આસમાને પહોંચ્યા હતા. ત્યારે વેપારીઓ દ્વારા રજૂઆત બાદ માર્કેટ ખુલવામાં આવ્યા હતા.
અમદાવાદનું કાલુપુર ચોખા બજાર બુધવારથી ખુલશે
ચોખા માર્કેટ ખોલવાની પરવાનગી મળતા વેપારીઓને રાહત
સવારે 8થી સાંજના 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે દુકાનો
અમદાવાદનું કાલુપુર ચોખા બજાર બુધવારથી ખોલવાનો નિર્ણય કરાયો છે. ચોખા માર્કેટને ખોલવાની પરવાનગી મળતા વેપારીઓને રાહત મળી છે. સવારે 8થી સાંજના 4 વાગ્યા સુધી ચોખા માર્કેટની દુકાનો ખુલ્લી રહેશે.
ચોખા માર્કેટ ખોલવાની પરવાનગી મળતા વેપારીઓને રાહત
લોકડાઉનના કારણે ભીડ ન થાય તે માટે બજાર બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. રિટેઈલના વેપારીઓ પાસે માલની અછતા થતા ભાવમાં વધારો થયો છે. ત્યારે હવે સરકાર દ્વારા બજાર ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે. સરકારની ગાઈડલાઈનનું તમામ વેપારીઓને પાલન કરવાનું રહેશે.
3 બજાર મુકાશે ખુલ્લા
નોંધનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદનાં ત્રણ મોટાં બજાર માધુપુરા માર્કેટ, ચોખા બજાર અને કઠોળ બજાર મંગળવારથી ચાલુ કરી દેવાની છૂટ સોમવારે જ આપી હતી, જેથી બુધવારથી આ બજારો ચાલું થઈ જશે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા અંગેની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાની શરતે જ આ છૂટ આપવામાં આવી છે. વેપારી એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો.