સરકારી હોસ્પિટલમાં તંત્ર હજુ કુંભકર્ણી નિદ્રામાંથી જ છે. સિવિલ બાદ SVP હોસ્પિટલમાં આંકડાની માયાજાળ સામે આવી છે. ઓછા દર્દી બતાવવા ઝટપટ રજા આપી દેવાતી હોવાના અક્ષેપ થઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ ખાનગી હોસ્પિટલોને કમાણી કરાવવા જગ્યા ખાલી હોવા છતાં બેડ ભરાયા હોવાનું કહીને દર્દીઓને દાખલ ન કરતા આવતા હોવાનું પણ સામે આવ્યું છે.
સરકારી હોસ્પિટલમાં તંત્ર હજુ કુંભકર્ણી નિદ્રામાંથી જ છે
SVPમાં પથારી ખાલી હોવા છતાં મોકલાય છે ખાનગી હોસ્પિટલોમાં
મણિનગરના વયોવૃદ્ધ ગૃહસ્થ બકુલભાઇ વિનોદભાઇ દવે કોરોનાગ્રસ્ત હતા. તેમજ તબિયત સારી નહોતી તેમ છતાં એસવીપી હોસ્પિટલે તેમને ડિસ્ચાર્જ કરતાં જે વિવાદ સર્જાયો છે તેમાં તંત્ર દ્વારા ડિસ્ચાર્જના મોટા આંકડા બતાવવા એક પ્રકારે ઉતાવળ કરાતી હોવાના પણ આક્ષેપ ઊઠયા છે.
SVPમાં પથારી ખાલી હોવા છતાં મોકલાય છે ખાનગી હોસ્પિટલોમાં
બકુલ દવેના મામલે એસવીપી હોસ્પિટલ જે તે દર્દીને ઉતાવળે ડિસ્ચાર્જ કરવાના નવા વિવાદમાં ઘેરાઇ છે. આમ તો શહેરની અન્ય સરકારી હોસ્પિટલની તુલનામાં એસવીપી હોસ્પિટલની પ્રતિષ્ઠા અમુક અંશે જળવાઇ રહી છે. તેમ છતાં કોરોના મહામારીના સમયમાં ખાનગી હોસ્પિટલ વધુ કમાણી કરે તેવા આશયથી સત્તાવાળાઓ હોસ્પિટલમાં પથારી ખાલી હોવા છતાં કોરોનાના દર્દીને દાખલ કરાતા નથી તેવા આક્ષેપ તો અવારનવાર ઉઠતા રહ્યા છે.
સરકારી હોસ્પિટલમાં તંત્ર હજુ કુંભકર્ણી નિદ્રામાંથી જ છે
જોકે તંત્ર દ્વારા આવા આક્ષેપના સંદર્ભમાં કોઇ દિવસ એસવીપી હોસ્પિટલમાં કેટલી પથારી ખાલી અને કેટલી પથારી ભરેલી એવી સ્પષ્ટતા કરાઇ નથી. જોકે ખાનગી હોસ્પિટલના એસોસીએશનની વેબસાઇટમાં રોજે રોજ જે તે હોસ્પિટલની ખાલી અને ભરેલી પથારીની માહિતી અપડેટ કરાય છે, પરંતુ સરકારી હોસ્પિટલમાં તંત્ર હજુ કુંભકર્ણી નિદ્રામાંથી જ છે.
હવે દર્દીના ઉતાવળે ડિસ્ચાર્જના મામલે નવો વિવાદ સર્જાતાં એસવીપી હોસ્પિટલના તંત્ર સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. આ અંગે ચાલુ ઓગસ્ટ મહિનાના એસવીપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા દર્દીની વિગતના તંત્રના સત્તાવાર આંકડા તપાસતાં છેલ્લા 23 દિવસમાં 154 દર્દીને હોસ્પિટલમાંથી સાજા કરીને ઘરે મોકલી દેવાયા છે. એટલે કે દરરોજના 6 થી7 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.
દર્દીના મૃત્યુના મામલે એસવીપી હોસ્પિટલમાં સહેજ ચિંતાજનક સ્થિતિ તો છે
ગત તા.1 ઓગસ્ટે ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા 2750 હતી જે તા.ર૩ ઓગસ્ટે વધીને 2904 થઇ છે. જ્યારે મોતની વિગત તપાસતાં ગત તા.1 ઓગસ્ટે એસવીપી હોસ્પિટલમાં મૃત્યુઆંક 227 હતો જે ગત તા.23 ઓગસ્ટે વધીને 240 થયો છે. એટલે કે આ સમયગાળામાં કુલ 13 દર્દીએ એસવીપી હોસ્પિટલમાં દમ તોડયો છે. જ્યારે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલમાં આ જ સમયગાળામાં 18 દર્દીના મોત થતાં દર્દીના મૃત્યુના મામલે એસવીપી હોસ્પિટલમાં સહેજ ચિંતાજનક સ્થિતિ તો છે.