ગુજરાતમાં કોરોના વાયરસ સામે લડતા કોરોના વોરિયર્સના પગાર કાપી લેવામાં આવે આ તે કેવી સેવા? એસવીપીમાં હોસ્પિટલ સ્ટાફમાં ફરીથી લોકોનો પગાર કાપી લેવામાં આવ્યો છે. પગાર વધારાની વાત તો ઠીક જે પગાર મળે છે તેમાંથી પણ કાપી લેવામાં આવ્યો છે. 200થી વધુ સ્ટાફકર્મીનો પગાર કાપી લેવામાં આવ્યો છે.
SVP હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં
કોરોના વોરિયર્સના પગારમાં મૂકાઇ રહ્યો છે કાપ
200થી વધારે સ્ટાફના પગારમાં મૂકાયો કાપ
SVP હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. કોરોના વોરિયર્સના પગારમાં કાપ મૂકાઇ રહ્યો છે. 200થી વધારે સ્ટાફના પગારમાં કાપ મૂકવામાં આવ્યો છે. 10 હજારથી 12 હજાર સુધીનો કાપ મૂકી દેવાયો છે. કર્મચારીઓને મેઇલ કરી અને તેમને માહિતી આપવામાં આવી રહી છે.
કર્મચારીઓએ જ્યારે પગાર મુદ્દે પૂછ્યું તો તેમને ઉડાઉ જવાબ આપવામાં આવ્યો. અને કહ્યું કે કામ ન કરવું હોય તો જોબ છોડીને પણ જઇ શકો છો તેવો જવાબ આપ્યો. આ ઉપરાંત કોરોના વોરિયર્સ દૈનિક વેતન રૂ.250 વધારાની વાત પણ નકારી દીધી છે.
સળગતા સવાલ
SVP હોસ્પિટલ તંત્રએ કેમ કોરોના વોરિયર્સના પગાર પર કાપ મૂક્યો?
કર્મચારીઓને કેમ ઉડાઉ જવાબ આપવામાં આવી રહ્યો છે?
જીવના જોખમે કામ કરતા કોરોના વોરિયર્સના પગારમાં કામ કેમ?
AMC સંચાલિત હોસ્પિટલ જ આવા નિર્ણય લેશે તો કેમ ચાલશે?
પગારમાં વધારો કરવાની જગ્યાએ પગારમાં કાપ કેટલો યોગ્ય?