દર્દીને લઈને પહોંચેલા પરિવારજનોને SVP સ્ટાફે સ્વીકરવાની ના પાડી દીધી હતી. SVP હોસ્પિટલ સુપ્રિટેન્ડ સાહે નો ફોન આવે ત્યારે જ દર્દી ને દાખલ કરવા હોસ્પિટલ સ્ટાફે કહ્યું હતુ. કોરોના દર્દીને લઈને પરિવારજનો 108માં 3 વાગ્યા ફરતા ગઈ કાલે રાત્રે 12 વાગે દાખલ કર્યા હતા. દર્દીને SVP હોસ્પિટલ વાળાઓએ પ્રાઇવેટ હોસ્પિટલના નામનો લેટર લખી આપ્યો હતો.
અમદાવાદ કોરોના દર્દી લઈને SVP હોસ્પિટલ વધુ એક બેદરકારી આવી સામે
દર્દીને લઈને પહોંચેલા પરિવારજનોને SVP સ્ટાફે સ્વીકરવાની ના પાડી
SVP હોસ્પિટલવાળાઓ વધુ એક ખાનગી હોસ્પીટલ માટે લેટર ઈશ્યુ કર્યો હતો. ગ્લોબલ નામની પ્રાઈવેટ હોસ્પિટલના નામનો લેટર લખી આપ્યો હતો. ગ્લોબલ હોસ્પિટલમાં દર્દીને સ્વીકારવાની ના પાડતા ફરી SVPમા પહોંચ્યા હતા.
કોંગ્રેસના MLA ઇમરાન ખેડાવાળા કોલ કરતા દર્દીને અંતે SVP દાખલ કર્યા હતા
બીજી ખાનગી બોડી લાઈન હોસ્પિટલનો લેટર લખી આપ્યો. દર્દી પાસે SVP હોસ્પિટલ નો લેટર હોવા છતાંય પૈસા માંગવામાં આવ્યા. એક મહિલા દર્દીના નામે SVP હોસ્પિટલ વાળા એ બે લેટર ઇસ્યુ કર્યા. SVP હોસ્પિટલ માત્ર ઓળખાણ વાળા માટે ગરીબ દર્દી માટે નહિ હોવાનું સામે આવ્યું છે. અંતે મહિલા દર્દી 5 થી 7 કલાક 108માં ત્રણ હોસ્પિટલ ફર્યા બાદ MLA કોલ કરતા દાખલ કર્યા. કોંગ્રેસના MLA ઇમરાન ખેડાવાળા કોલ કરતા દર્દીને અંતે SVP દાખલ કર્યા હતા.
અગાઉ પણ ઉઠી હતી ફરિયાદ
અમદાવાદની SVP હોસ્પિટલની ફરી એક બેદરકારી સામે આવી હતી. દર્દીઓની સારવાર અને કાળજી રાખવામાં હોસ્પિટલની બેદરકારી જરાય ઓછી નથી થતી. SVPમાં દર્દીઓને ભોજનમાં તકલીફ પડતી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. સવારનું ભોજન દર્દીઓને છેક બપોરે અઢીવાગે મળે છે તેવી દર્દીઓ દ્વારા ફરિયાદ ઉઠી હતી.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અસરાની પરિવારના એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, 2 દિવસની સારવાર બાદ તેને રજા આપી દેવાઇ હતી અને બાદમાં દર્દીને પોઝિટિવ છો તેમ કહી SVPમાં ફરીવાર દાખલ કરી દેવાયો હતો.
હોસ્પિટલની બેદરકારીને લીધે સમગ્ર પરિવારને લાગ્યો કોરોનાનો ચેપ
હોસ્પિટલની બેદરકારીને કારણે વસ્ત્રાલના અસરાની પરિવારના પુત્રને પોઝિટિવ હોવા છતા તંત્રએ જાણ ન કરી જેના કારણે આખો પરિવાર સંક્રમિત થયો હતો. ત્યારે SVP હોસ્પિટલની બેદરકારીથી વસ્ત્રાલના અસરાની પરિવાર પર જીવનું જોખમ ઉભુ થયું હતુ. .