અમદાવાદ શાહીબાગમાં સ્થાનિકો વિરોધ પર ઉતરી આવ્યા છે. આ વિરોધ કોવિડ હોસ્પિટલ સામેનો છે. ત્યારે પ્રશ્ન એ ઉઠે કે, કોરોનાની મહામારીમાં વધી રહેલા કેસ જોઈને એટલું તો પાક્કુ છે કે, કોવિડ હોસ્પિટલોની જરૂરતતો પડશે જ ત્યારે આ વિરોધ કેમ? જો કે સોસાયટીમાં લોકોની પરમિશન વગર જ રાતોરાત કોમન પ્લોટમાં કામચલાઉ હોસ્પિટલ ઉભી કરી દેતા સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે.
અમદાવાદમાં આવલા શાહીબાગ વિસ્તારમાં કોવિડ હોસ્પિટલ સામે સ્થાનિકોનો વિરોધ કર્યો છે. ભારતી વલ્લભ હોસ્પિટલ સામે સ્થાનિક લોકોનો વિરોધ કર્યો છે. સોસાયટીના કોમન પ્લોટમાં કામચલાઉ હોસ્પિટલ બનાવવામાં આવતા વિરોધ થયો છે.
જયેશ્વર સોસાયટી-LR એપાર્ટમેન્ટના લોકોએ આ અંગ વિરોધ કર્યો છે. જાહેર આરોગ્યનું ધ્યાન રાખ્યા વગર હોસ્પિટલે દાદાગીરી કરી છે. કોર્પોરેશનના અધિકારીઓની મીલી ભગતથી કોવિડના નિમય નેવે મુકવામાં આવ્યાં છે. કોમન પ્લોટ અને રેસિડન્સ ફલેટમાં જ કામચલાઉ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે.