ગુજરાતમાં અને એમાંય અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા ભયજનક રીતે વધી રહી છે તેમ છતાં લોકો આ મામલે જરા પણ ગંભીર નથી ત્યારે આજે અમદાવાદમાં એક શરમજનક ઘટના ઘટી હતી. સરદારનગરમાં ટોળે વળેલા લોકોને વિખેરવા જતા ટોળાએ પોલીસ પર જ હૂમલો કરી દીધો હતો જેમાં PI સહિતના પોલીસકર્મીઓને ઈજાઓ પહોંચી છે.
મંદિર પાસે ટોળું ભેગા થતા વિખરવા જતા ટોળાનો હુમલો
સરદારનગર પીઆઇ અને અન્ય પોલીસકર્મી ઘાયલ
પોલીસે 3 મહિલા સહિત 16 લોકોની કરી અટકાયત
અમદાવાદના સરદારનગરમાં પોલીસ પર પથ્થરમારાની શરમજનક ઘટના ઘટી છે. જેમાં પોલીસે પણ વળતા પગલા લઈને 3 મહિલા અન 16 લોકોની અટકાયત કરી છે. ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે.
સરદારનગરના PI અને અન્ય પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત
સરદારનગરના નેહરુનગરના મંદિર પાસે લોકોએ પોલીસ પર હૂમલો કર્યો હતો. અહીં ટોળે વળેલા લોકોના ટોળાને વિખેરવા જતા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં સરદારનગરના PI અને અન્ય પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.
અમદાવાદમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાય છે
છેલ્લા 12 કલાકમાં 95 કેસ નોંધાયા છે. તો આજે 5 લોકો સાજા થયાં છે. અત્યાર સુધીમાં 95નાં મોત થયા છે જેમાંથી એકલા અમદાવાદમાં જ 58 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં કુલ કોરોના પોઝિટિવનો આંક 2272 પર પહોંચ્યો છે. અને એકલા અમદાવાદમાં જ 1434 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ક્યાં ક્યા નોંધાયા નવા કેસ
અમદાવાદના 61 કેસ, બોટાદના 21, રાજકોટ જિલ્લાનો 1, સુરત 17 કેસ, વડોદરા 8 કેસ અને અરવલ્લિના 5 કેસ એમ કુલ 94 કેસ પોઝિટિવ નોંધાયા છે. 2516 ટેસ્ટમાંથી 216 કેસ પોઝિટિવ આવ્યા હતા. અમદાવાદમાં 4 લોકોના મોત થયા છે જ્યારે વલસાડમાં એકનું મોત થયું છે.