ગુજરાતમાં કોરોના વાયરસ રાજકુમારી વાર્તાની જેમ દિવસે નથી વધતો એટલો રાતે વધે છે અને રાતે નથી વધતો અને એમાંય અમદાવાદમાં તો ખુદ મ્યુનિસિપલ કમિશરને 1 લાખ કેસની સંભાવના દર્શાવી હતી જે તેમણે હવે 50,000 સુધી સીમિત કરી દીધી છે ત્યારે ગરીબવર્ગની હાલત ખુબ જ ખરાબ થઈ છે. ત્યારે હવે સસ્તુ રાશન લેવા ગયેલા લોકો રાશન સાથે સાથે કોરોના પણ ઘરે લઈ ગયા હોવાની ભીતિ ઉભી થઈ છે. અમદાવાદમાં રેશનિંગની દુકાનના સંચાલકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
અમદાવાદમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકને કોરોના
અમદાવાદમાં સંક્રમણ વધવાની શક્યતા
ગ્રાહકો મફત અનાજની સાથે સાથે કોરોના પણ ઘરે લઈ ગયા હોવાની ભીતિ
ગરીબો માટે પડતા ઉપર પાટુ જેવો ઘાટ ઘડાયો છે. સરકારે સસ્તા અનાજની દુકાન પરથી ગરીબો માટે અને તમામ ગુજરાતીઓ માટે મફતમાં અનાજવિતરણની જાહેરાત કરી હતી ત્યારે હવે અસારવામાં રેશનિંગની દુકાનનું સંચાલન કરનારા સંચાલકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કારણે તંત્ર દોડતું થઈ ગયું છે.
અમદાવાદમાં અસારવામાં રેશનિગ સંચાલક કોરોના પોઝિટિવ આવ્યો છે. રવિન્દ્ર ચૌહાણ નામના સસ્તા અનાજની દુકાનના સંચાલકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હાલ સંચાલકને સિવિલ હોસ્પિટલમાં આઈસોલેટ કરવામાં આવ્યો છે.
સરકાર કરશે મદદ
મ્યુ. કોર્પોરેશન દુકાનને સીલ કરી ને કોરેન્ટાઇન કરી દીધી છે. દુકાનમાં ખરીદી કરવા આવેલા લોકોની તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે સરકારે આવી દુકાનોમાં સંચાલકો સહિતના સ્ટાફ માટે પણ જાહેરાત કરી છે કે જો કોરોનાથી તેમનું મોત થાય તો તેમના પરિવારને મદદ કરવામાં આવે છે.
ગરીબો સસ્તુ અનાજ લેવા ગયા અને કોરોના લઈને આવ્યો
જે લોકો આ દુકાનેથી અનાજ લેવા આવ્યા હતા તેમણે અનાજની સાથે સાથે કોરોનાને પણ ઘરભેગો કર્યો છે. અમદાવાદમાં જે રીતે સંક્રમણ વધી રહ્યુ છે તેને જોઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે કહ્યુ હતુ કે, જો આ જ રીતે કોરોનાના દર્દીઓ વધશે તો 15મી મે સુધીમાં કોરોનાના 50000 કેસ એકલા અમદાવાદમાં જ નોંધાશે.