અમદાવાદના પ્રોફેસરે કોરોનાની આયુર્વેદિક દવા બનાવી છે. અને આયુષ મંત્રાલય દ્વારા દવાના ટ્રાયલ માટે પણ મંજૂરી આપી દેવાઇ છે. ઇમ્યુરાઈઝ નામની આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવામાં આવશે. પ્રોફેસર ડોકટર રાકેશ રાવલ, અક્ષય સેવકે દવા તૈયાર કરી છે. દવાનું એનિમલ ટેસ્ટિંગ સફળતા સાથે પૂર્ણ કરી દેવાઇ છે. ત્યારે હવે કોરોનાગ્રસ્ત દર્દી માટે ઇમ્યુરાઇઝ દવાનો ઉપયોગ કરવામાં આવશે. આગામી સમયમાં AMCના સહયોગથી કોરોનાના દર્દીઓને આ દવા અપાશે. આ દવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
કોવિડ-19ની હર્બલ આયુર્વેદિક દવા બનાવાઈ
અમદાવાદના પ્રોફેસરે કોવિડ-19 માટે દવા બનાવી
ઇમ્યુરાઈઝ નામની આયુર્વેદિક દવાનો કરાશે ઉપયોગ
આયુષ મત્રાલય દ્વારા દવાના ટ્રાયલ માટે મંજૂરી
કોરોના મહામારી પગલે આખું વિશ્વ ચિંતિત છે. દિનપ્રતિદિન કેસો સંખ્યા વધી રહી છે, ત્યારે વધતા કેસો સામે હવે રાહતના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સ ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રીશન વિભાગના પ્રોફેશર ડૉકટર રાકેશ રાવલ દ્વારા કોરોના વાયરસ માટેની આયુર્વેદ દવા શોધવામાં આવી છે.
આ દવાને ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા પણ પ્રોફેસર રાવલની આ હર્બલ આયુર્વેદિક દવાના ટ્રાયલ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે કોરોના માટે શોધાયેલી દવા ઇમ્યુરાઈઝ નામની આયુર્વેદિક દવા ટેબ્લેટ ફોર્મમા કોરોનાના દર્દીઓ માટે શોધવામાં આવી છે.
આ ઇમ્યુરાઈઝ નામની દવાનું એનિમલ ટેસ્ટિંગ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. દવાનું એનિમલ ટેસ્ટિંગ બાદ હવે કોરોનાગ્રસ્ત દર્દી માટે ઇમ્યુરાઈઝ દવાનો ઉપયોગ કરે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આગામી સમયમાં કોવિડના દર્દીઓને આ દવા આપવાની શરૂઆત કરવામાં આવશે. જો કેવિડ 19 માટે શોધાયેલી દવાના પ્રયોગથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.