અમદાવાદ મનપા કમિશનર વિજય નેહરાની પત્રકાર પરિષદ યોજીને અમદાવાદની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે હજુ પણ અમદાવાદમાં વધુ કેસ ઉમેરાઈ શકે છે. અમદાવાદીઓ માટે આવનારા દિવસો થોડા કપરા છે. પણ લોકડાઉન અને સરકારી સુચનાઓનો કડક અમલ જ મહાસંકટમાંથી ઉગારી શકે છે.
અમદાવાદ મનપા કમિશનર વિજય નેહરાની પત્રકાર પરિષદ યોજીને અમદાવાદની પરિસ્થિત વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યુ હતુ કે, અમદાવાદવાસીઓ માટે ચિંતાજનક સમાચાર છે.
એક જ દિવસમાં 50 કેસ ઉમેરાયા છે. અમદાવાદમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 133 પર પહોંચ્યો છે.
અમદાવાદના દાણીલીમડા, આસ્ટોડિયા, ઘોડાસરમાંથી 50 કેસ પોઝિટિવ નોંધાયા છે. આગામી બે થી ત્રણ દિવસમાં કેસની સંખ્યામાં વધારો થઈ શકે છે. અમદાવાદના 50 કેસ મરકજમાં ગયેલા લોકોના સંપર્કમાં આવ્યા હતા. મરકઝમાંથી આવેલા લોકો દ્વારા કમ્યુનીટી ટ્રાન્સમિશનનો તબક્કો આવી ગયો છે.
અમદાવાદમાં યુદ્ધના ધોરણે બચાવ કામગીરી તૈયાર કરી થઈ ગઈ છે.