લાલિયાવાડી / અમદાવાદમાં એરપોર્ટ પર NRI ને AC બસ, શ્રમિકોને બસનાય વાંધા

coronavirus in Gujarat Ahmedabad NRI come and stuck migrant workers walking for journey

ગુજરાતમાં કોરોના વાયરસના વધતા આંકડા ડરામણાં છે ત્યારે કેન્દ્ર સરકારે લોકડાઉનમાં ફસાયેલા લોકોને પોત પોતાના વતન અને ઘરે જવાની છુટ આપી છે વળી વિદેશથી પણ ગુજરાતીઓને પાછા લવાઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં શ્રમિકોને કોઈ મદદ ન મળતા તેમણે પોતાના વતન જતા આખરે ચાલતી પકડી હતી. એવું નથી કે આમાં એકલ દોકલ માણસો છે. આખાને આખા પરિવારો હાલ મુસિબતમાં છે. લોકોને ત્યાં કરિયાણું ખુટી પડ્યુ છે આવક, ધંધા કંઈ છે નહી ત્યારે ખરેખર આ લોકોને મદદની જરૂર છે અને સરકાર ટુંકો હાથ કરી રહી હોય તેવું હાલ પ્રતિત થઈ રહ્યુ છે.

બ્રેકિંગ ન્યૂઝ