ગુજરાતમાં કોરોના વાયરસના વધતા આંકડા ડરામણાં છે ત્યારે કેન્દ્ર સરકારે લોકડાઉનમાં ફસાયેલા લોકોને પોત પોતાના વતન અને ઘરે જવાની છુટ આપી છે વળી વિદેશથી પણ ગુજરાતીઓને પાછા લવાઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં શ્રમિકોને કોઈ મદદ ન મળતા તેમણે પોતાના વતન જતા આખરે ચાલતી પકડી હતી. એવું નથી કે આમાં એકલ દોકલ માણસો છે. આખાને આખા પરિવારો હાલ મુસિબતમાં છે. લોકોને ત્યાં કરિયાણું ખુટી પડ્યુ છે આવક, ધંધા કંઈ છે નહી ત્યારે ખરેખર આ લોકોને મદદની જરૂર છે અને સરકાર ટુંકો હાથ કરી રહી હોય તેવું હાલ પ્રતિત થઈ રહ્યુ છે.
ગરીબ શ્રમિકોને ઘર જવામાં થઈ રહી છે પરેશાની
દેશમાં એક રાજ્યથી બીજા રાજ્યમાં જતા શ્રમિકોને હાલાકી
વિદેશથી આવેલા લોકોને મળી રહી છે AC બસમાં સુવિધા
કોરોનાના કહેરને લઈને સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયું છે. લોકડાઉન જાહેર થતા ગરીબ પરિવારોને પરેશાની થઈ રહી છે. સરકાર દ્વારા વ્યવસ્થા તો કરવામાં આવી રહી છે, પરંતુ ગરીબો માટે નહી, માત્ર NRI લોકો માટે જ કરાય છે. સરકાર દ્વારા વિદેશમાં ફસાયેલા લોકોને લાવવા માટે સ્પેશિયલ પ્લેન મોકલવામાં આવે છે.. ત્યાર બાદ એરપોર્ટથી AC બસમાં ઘર સુધી મોકલવામાં આવે છે.
જ્યારે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહેલા પરિવારોને સરકારે કોઈ વ્યવસ્થા ન કરતા હવે ગરીબ પરિવાર ચાલતા પોતાના વતનમાં જવા માટે મજબૂર બન્યા છે. ગરીબ પરિવાર સાથે અન્યાય થતા અનેક સવાલ થયા છે. સરકાર કેમ ગરીબ પરિવારોની વ્હારે આવતી નથી. જ્યારે NRI લોકો માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.