અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા વધુ ઝડપી કરી દેવાઇ છે. અમદાવાદના મોલમાં પણ હવે ફરજિયાત ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદના આલ્ફાવન મોલ અને સ્ટાર બજારમાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
મોલમાં આવતા લોકોને ફરજીયાત ટેસ્ટ જરૂરી
ટેસ્ટ બાદ જ અપાઇ રહ્યો છે પ્રવેશ
આલ્ફા વન મોલ અને સ્ટાર બજારમાં કોરોના ટેસ્ટિંગ
મોલમાં આવતા લોકોનો ફરજિયાત ટેસ્ટ કરવામાં આવે છે અને ત્યાર બાદ જ તેમને પ્રવેશ આપવામાં આવે છે. અગાઉ અમદાવાદ મનપાએ આલ્ફાવન મોલમાં ભીડ થતા મોલને સીલ કરી દીધો હતો. હાલ અમદાવાદમાં 3 હજાર 700થી વધુ એક્ટિવ કેસ છે.
રાજ્યમાં આજે કોરોનાના 1,074 કેસ નોંધાતા કુલ આંકડો 68,885 પર પહોંચ્યો છે. આજે 1,101 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 69,986 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 73 ટકાથી ઉપર છે. આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ, વડોદરા, પોરબંદર અને દાહોદમાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ સાજા થયા છે. રાજ્યમાં હવે 14,530 દર્દીઓ સારવાર હેઠળ છે.
ક્યાં સૌથી વધુ કોરોના દર્દીઓ થયા સાજા?
રાજ્યમાં આજે રાહતના સમાચાર એ છે કે, છેલ્લા 24 કલાકમાં 1101 કેસ નોંધાયા છે જેની સામે 1135 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જેમાં સુરતમાં 549, અમદાવાદમાં 121, વડોદરામાં 67, પોરબંદરમાં 61, દાહોદમાં 33, વલસાડમાં 48 અને ગાંધીનગરમાં 49 દર્દીઓ સાજા થયા છે. મહત્વનું છે કે, ગઇકાલે(7 ઓગસ્ટ) 24 કલાકમાં 1074 કેસ નોંધાયા હતા જેની સામે 1370 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા.
કોરોનાથી કેટલા દર્દીના મોત ?
રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 23 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં 2,629 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. મહત્વનું છે કે, ભારતમાં કોરોના વાયરસના કેસ 20 લાખને પાર થઇ ચૂક્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં દેશમાં 42 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે.
સુરતમાં કોરોનાના કેસ 15 હજારને પાર
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આજે સુરતમાં 226 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 182 અને સુરત જિલ્લામાં 44 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 15003 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 549 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 11,252 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 10 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 495 દર્દીના મૃત્યુ થયા છે.
હાલ અમદાવાદમાં કોરોનાની શું છે સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 158 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 139 અને અમદાવાદ જિલ્લામાં 19 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 27,745 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 121 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 22,289 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 5 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1632 પર પહોંચ્યો છે.
રાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા આજના કોરોના વાયરસના કેસની વિગત